મતગણતરી પહેલા વિપક્ષને એકજૂટ રાખવા અને રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતની રણનીતિને લઇને હાલ વિપક્ષમાં ફૂટ જોવા મળી રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરિણામ અગાઉની વિપક્ષની બેઠકમાં ઉપસ્થિત રહેવાને લઇને ના કહી દીધી છે. જ્યારે બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે હાલમાં આ બેઠકને લઇને મૌન સાધ્યું છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ આ બેઠક માટે વિપક્ષી દળોનો સંપર્ક સાધી રહ્યાં છે. આ ક્રમમાં ચંદ્રબાબુ નાયડૂએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મમતા બેનરજી સહિત અનેક નેતાઓ તેમજ ક્ષેત્રીય દળના નેતાઓનો સંપર્ક કર્યો છે. ટીડીપી સૂત્રોના જણાવ્યા અનુસાર ગત અઠવાડીયે મમતા બેનરજીએ ચંદ્રાબાબુ નાયડુ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ પરિણામ પહેલાની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે નહીં.
જ્યારે બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતીએ પણ આ બેઠકને લઇને ચંદ્રાબાબુ નાયડૂને કોઇ આશ્વાસન આપ્યું નથી. જો કે એનસીપી, આરજેડી, ડીએમકે, જેડીએસ સહિત અનેક ક્ષેત્રીય દળના આ બેઠકને લઇને રાજી જોવા મળ્યાં છે. કોંગ્રેસના નેતૃત્વમાં પ્રસ્તાવિત આ બેઠકમાં વિપક્ષી દળ વચ્ચે એકજૂટતા બનાવવા તેમજ રાષ્ટ્રપતિને મળીને જો કોઇપણ પક્ષ અથવા ગઠબંધનને બહુમત ન મળવાની સ્થિતિ પર બહુમતનું પરીક્ષણ વગર કોઇપણ પક્ષને સરકારને બનાવવા નિમંત્રણ ન દેવા પર રણનીતિ બનાવવાની હતી. જેને લઇને આગામી 21 અથવા 22મીના રોજ વિપક્ષને એકજૂટ કરવાની રણનીતિ હતી.
વિપક્ષનું માનવું છે કે આ લોકસભા ચૂંટણી 2019માં કોઇપણ પક્ષ અથવા ગઠબંધનને બહુમતિ પ્રાપ્ત થશે નહીં. એવી સ્થિતિમાં સત્તાપક્ષ એનડીએનું નેતૃત્વ કરનારી ભાજપ બીજા પક્ષના નેતાઓ સાથે ફરી સરકાર બનાવવાના પ્રયત્નો કરી શકે છે. આમ વિપક્ષ એનડીએને બીજી વખત સત્તામાં આવવા રોકવાની રણનીતિ બનાવવી જોઇએ જેને લઇને વિપક્ષની એકતામાં ફૂટ ન પડે. જો કે મમતા બેનરજી, માયાવતી, અખિલેશ યાદવ જેવા નેતા ગેર-કોંગ્રેસ તેમજ ગેર-ભાજપ સરકારના પક્ષમાં છે. જેના કારણે તેઓ પરીણામ પહેલાની કોંગ્રેસની અધ્યક્ષતાવાળી બેઠકથી દૂર રહેવા ઇચ્છે છે.