પીએમ મોદીએ પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં ઘણા વિપક્ષના નેતાઓની પ્રશંસા કરી. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદી દર વર્ષે બે કુર્તાઓ મોકલે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનને લઇને લોકો ઘણું બધું જાણતા હશે પરંતુ તેમના વ્યક્તિગત જીવન અંગે લોકોને ઘણી બધી ખબર નહીં હોય. રાજકીય સાક્ષાત્કારથી અલગ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારે પીએમ મોદીના અંગત જીવન અંગેની કેટલીક યાદો તાજા કરાવી.
પીએમ મોદીએ પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં ઘણા વિપક્ષના નેતાઓની પ્રશંસા કરી. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદી દર વર્ષે બે કુર્તાઓ મોકલે છે.
તે સિવાય પીએમ મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની યાદોને પણ તાજી કરી. પીએમ મોદીએ કહ્યું કે મારી ગુલામ નબી આઝાદ સાથે સારી ભાઇબંધી છે. જો કે હું આમ બોલીશ તો મને ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે. અમે પરિવારની જેમ રહીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે બાંગ્લાદેશની પ્રધાનમંત્રી પણ મને ગીફ્ટ મોકલાવે છે.
પીએમ મોદીને અક્ષયકુમારે કહ્યું કે જો તમને અલાદ્દીનનો ચિરાગ મળે તો તમે તમારી કઇ ત્રણ ઇચ્છા પુરી કરવાની હશે? પીએમ મોદીએ કહ્યું કે હું સમાજશાસ્ત્રી અને શિક્ષાવિદ્દોને આગ્રહ કરીશ કે તેઓ ક્યારે ભાવી પેઢીને અલાદિનના ચિરાગવાળી વાર્તા ન સંભળાવે. હું કહીશ કે તેમને મહેનત કરતા શીખવો. આપણે ભારતીય મહેનતકશ લોકો છીએ.
જ્યારે અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યું કે શું વડાપ્રધાનને ગુસ્સો આવે છે? ત્યારે પીએમએ જવાબ આપ્યો કે રાજી, નારાજગી, ગુસ્સા, મનુષ્યના વ્યવહારની વસ્તુ છે. જો હું કહીશ કે ગુસ્સે આવતો નથી, તો વિશ્વાસ કરવામાં આવશે નહીં. કોઇને નીચા બતાવીને કામ કરતો નથી.