બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવું જણાવ્યું કે બંગાળને કોરોનાની રસી મળી રહી નથી.
કેન્દ્ર સરકારે બંગાળને રસી આપી નથી-મમતાનો આરોપ
અમે કેન્દ્ર સરકારને રસી આપવાનું કહ્યું પણ હજુ સુધી મળી નથી-મમતા
પીએમ મોદીએ બિહારને પણ રસી આપવાની કરી હતી વાત
મમતાએ કહ્યું કે પીએમ મોદીએ બિહારમાં સત્તામાં આવ્યાં બાદ લોકોને કોરોનાની રસીની ખાતરી આપી હતી પરંતુ શું તેમણે રસી પૂરી પાડી છે. નહીં, તેમણે રસી પૂરી પાડી નથી. તેમણે જુઠાણુ ચલાવ્યું હતું.
ભાજપ દેશની સૌથી મોટી દગાબાજી પાર્ટી-મમતાનો આરોપ
મમતાએ કહ્યું કે ભાજપ દેશની સૌથી મોટી દગાબાજી પાર્ટી છે જેણે દેશને બર્બાદ કરી નાખ્યો છે. મેં કેન્દ્ર સરકારને રસી મોકલવાનું જણાવ્યું હતું પરંતુ બંગાળને હજુ સુધી કોરોનાની રસી મળી નથી. કોરોનાના કેસો વધી રહ્યા છે અને તેઓ અમને મફતમાં રસી પણ આપી રહ્યાં નથી.
Narendra Modi promised to vaccinate people of Bihar after coming to power, during elections. But did they provide vaccines? No, they did not, they lied: West Bengal CM and TMC leader Mamata Banerjee#WestBengalElectionspic.twitter.com/RmnUadPRyF
આ પહેલા બાંકુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા બેનરજીએ જણાવ્યું હતું કે શું ચૂંટણી પંચને અમિત શાહ ચલાવી રહ્યાં છે. તેઓ ચૂટંણી પંચને આદેશ આપી રહ્યાં છે.
બેનરજીએ કહ્યું કે ભાજપ મારી હત્યાનું કાવતરુ કરી રહ્યો છે. ચૂંટણી પંચે મારા સિક્યુરીટી ડિરેક્ટરને પણ હટાવી દીધા છે. મમતાએ કહ્યું કે શું કેન્દ્રીય ગૃહમંત્રી દેશ ચલાવશે અથવા તો બંગાળમાં અમારુ ઉત્પીડન કરવાનું કાવતરુ કરશે.
મમતાએ કહ્યું કે અમિત શાહ મૂંઝાઈ ગયા છે કારણ કે તેમની રેલીઓમાં લોકોની પાંખી હાજરી જોવા મળે છે. ઝારગ્રામની રેલી પણ હેલિકોપ્ટરની ખરાબીને કારણે રદ કરાઈ નથી પરંતુ ત્યાં કાગડા ઉડતા હોવાથી તેને રદ કરી દેવાઈ.
મમતાએ કહ્યું કે દેશ ચલાવવાને બદલે અમિત શાહ કોલકાતામાં ધામા નાખીને પડ્યાં છે અને ટીએમસી નેતાઓની પજવણીનું કાવતરુ કરી રહ્યાં છે. તેઓ શું કરી રહ્યાં છે. શું તેઓ મારી હત્યા કરવા માગે છે ? શું તેઓ એવું માની રહ્યાં છે કે તેઓ મારી હત્યા કરીને ચૂંટણી જીતી જશે. તેઓ ખોટા છે. મમતાએ કહ્યું કે ચૂંટણી પંચ તેની આઝાદી ગુમાવી ચૂક્યું છે. શું અમિત શાહ ચૂંટણી પંચને ચલાવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પંચને નિર્દેશ કરી રહ્યાં છે. ચૂંટણી પંચની આઝાદીનું શું થયું.