મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન થઈ ગયું છે. તે પાછલા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા. અસીમ કોલકાતાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન
પાછલાં એક મહિનાથી હતા કોરોના સંક્રમિત
કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં હતા દાખલ
અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે થશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન થઈ ગયું છે. તે પાછલા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા. અસીમ કોલકાતાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ હતા. પરિવારના સૂત્રોએ જણાવ્યા અનુસાર અસીમના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલ હોઠળ કરવામાં આવશે.
મેડિકા હોસ્પિટલના ચેરમેન ડો. આલોક રોયે જણાવ્યું કે, સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે સવારે હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તે કોરોના સંક્રમિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.
બંગાળમાં એક દિવસમાં 20,846 કેસ
પશ્ચિમ બંગાળમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 20,846 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ મામલા 10,94,802 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે બિમારીથી વધુ 136 લોકોના મોત થઈ ગયા બાદ મૃતકોની સંખ્યા 12,993 થઈ ગઈ છે. રાજ્યમાં ગુરૂવારે 19,131 લોકો સ્વસ્થ્ય થયા છે.