પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે તેમણે આ મામલે એક વીડિયો સંદેશ આપ્યો છે.
નંદીગ્રામમાં ઘાયલ થાય મમતા બેનર્જી
હોસ્પિટલથી બનાવ્યો વીડિયો
કાર્યકર્તાઓને શાંત રહેવા કરી અપીલ
સોશ્યલ મીડિયા પર શેર કર્યો વીડિયો સંદેશ
હોસ્પિટલમાં દાખલ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ગુરુવારે ટીએમસીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મમતા બેનર્જીનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં મમતા બેનર્જી સંદેશ આપતા દેખાઈ રહ્યા છે.
— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021
લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ
મમતા બેનર્જી આ વીડિયોમાં કહી રહ્યા છે કે તેમની છાતીમાં અને માથાના ભાગના દુખાવો છે અને તે આગામી બે ત્રણ દિવસમાં કામ પર પરત આવી જશે. આ સિવાય તેમણે કાર્યકર્તાઓને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. મમતા બેનર્જીએ અપીલ કરી કે એવું કઈં પણ ન કરવું જેનાથી સામાન્ય પ્રજાને પરેશાની થાય.
બે ત્રણ દિવસમાં કામ પર પરત ફરીશ
વીડિયો સંદેશમાં મમતા બેનર્જીએ કહ્યું કે હું પાર્ટી કાર્યકર્તા અને બંગાળની સામાન્ય જનતાને કહેવાય માંગુ છું કે હું ગઇકાલે ઇજાગ્રસ્ત થઈ ગઈ અને મારા પગ પર તકલીફ છે તથા છાતી અને માથામાં દુખાવો થઈ રહ્યો છે. હું મારી કારમાંથી લોકોનો અભિવાદન કરી રહી હતી અને ત્યારે જ હું ઘાયલ થઈ ગઈ. અહિયાં મારી સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે હું બધાને શાંતિ બનાવી રાખવાની અપીલ કરું છું અને મને આશા છે કે બે ત્રણ દિવસમાં હું કામ પર પરત આવી જઈશ.
શું છે ઘટના
ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં પ્રચાર કરી રહ્યા હતા અને તે સમયે જ તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તે બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે અને ચાર પાંચ લોકોએ હુમલો કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે. જોકે હવે આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ મળી ગઈ છે અને રાજ્યના તંત્ર દ્વારા પણ સઘન તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.