ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં અચાનક મમતા બેનર્જીની પાર્ટી સક્રિય થતા રાજનીતિનું વાતાવરણ ગરમાયું છે, ગુજરાતમાં 21 જુલાઈના દિવસે TMC શહીદ દિવસ મનાવશે
ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટીનો પ્રવેશ
મમતા બેનર્જીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી
21 જુલાઈના TMC શહીદ દિવસ મનાવી રહી છે
ગુજરાતના રાજકારણમાં અજબ-ગજબ ઘટના સામે આવી છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મમતા બેનર્જીની પાર્ટી સક્રિય બની ચૂકી છે. અને મમતા બેનર્જીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 21 જુલાઈએ TMC શહીદ દિવસ મનાવશે. અને ગુજરાતના કાર્યકરોને મમતા બેનર્જી વર્ચ્યુઅલી સંબોધન કરશે. અમદાવાદના ગીતા મંદિર બસસ્ટેંડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર પણ લાગ્યા છે. આ સાથે સ્ક્રીન પર મમતા બેનર્જીનું ભાષણ પ્રસારીત કરાશે. મમતા બેનર્જીના પોસ્ટરથી રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી જાણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવું છે.