પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ રાજકીય દળોના અધ્યઙોની બેઠકમાં જવાની ના પાડી દીધી છે. આ સાથે જ મમતા બેનર્જીએ પાર્ટી છોડનાર નેતાઓને લઇને પણ કડક વલણ અપનાવ્યું છે.
પીએમ દ્વારા તમામ પાર્ટી અધ્યક્ષની બેઠક બોલાવવાને લઇને મમતાએ સસંદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં મમતાએ કહ્યું કે એ બુધવારે પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી રાજકીય દળોની અધ્યક્ષોની બેઠકમાં હાજર રહી શકશે નહીં.
West Bengal CM & TMC Chief Mamata Banerjee has written a letter to Parliamentary Affairs Minister Pralhad Joshi and informed him that she will be unable to attend the meeting of Presidents of all political parties, called by the Prime Minister, scheduled for tomorrow. (file pic) pic.twitter.com/u50VfHIg6T
તો બીજી બાજુ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ટીએમસી નબળી પાર્ટી નથી. 15 20 પાર્ષદોની પાર્ટી છોડવા અને રૂપિયા સ્વિકાર કરવાથી મને કોઇ ફરક પડતો નથી. જો પાર્ટીના ધારાસભ્ય ટીએમસી છોડીને જવા ઇચ્છે છે તો એ જઇ શકે છે. હું મારી પાર્ટીમાં ચોરો ઇચ્છતી નથી. જો એખ વ્યક્તિ પાર્ટી છોડીને જાય છે તો હું 500 તૈયાર કરી શકું છું.
West Bengal CM Mamata Banerjee in Kolkata: TMC is not a weak party. I don't care if 15-20 councillors leave the party after accepting cash. If party MLAs want to leave they can. We don't want thieves in our party. If one person leaves I will prepare 500 more. pic.twitter.com/2WKmPh2FWP
જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રતિનિધિત્વ કરનારી તમામ રાજકીય દળોના અધ્યક્ષોને 19 જૂને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત પીએમ મોદીએ 20 જૂને લોકસભા અને રાજ્યસભા સાસંદોની બેઠક બોલાવી છે.
પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે પીએમ મોદી 19 જૂને બેઠકમાં એક દેશ એક ચૂંટણી અને મહાત્મા ગાંધીની 150મી જયંતિસહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા ઇચ્છે છે. એમને જણાવ્યું કે પીએમ મોદી સંસદમાં ટીમ ભાવનાનું નિર્માણ કરવા ઇચ્છે છે, એટલા માટે એમને 20 જૂને તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોની બેઠક બોલાવી છે.