પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં તેમની વિરુદ્ધ કેટલાક પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખાયું છે કે દીદી અહીં ખુલીને હસો. તમે લોકતંત્રમાં છો. તો અન્ય એક પોસ્ટરમાં લખાયું છે. દીદી ચીલ...નો દાદાગીરી...દિલ્હીમાં તમારુ સ્વાગત છે અહીં લોકતંત્ર છે. આવા પોસ્ટરની મમતા બેનર્જીનું ખાસ સ્વાગત દિલ્હીના રસ્તાઓ પર કરવામાં આવ્યું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના રોડ શો અને રેલીયોને રોકવા માટે સંભવ તમામ પ્રયાસો કરી રહી છે. તો ક્યારેક અમિત શાહ અને યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને રેલી સ્થળ પર લેંડિગની મંજૂરની નથી આપતી. તો ક્યારેક રોડ શો પર પ્રતિબંધ લગાવી દે છે. જેને લઈ ભાજપનું કહેવું છે કે બંગાળમાં લોકતંત્ર નથી બચ્યું. એવા જ્યારે મમતા બેનર્જી દિલ્હીમાં પધાર્યા છે. ત્યારે તેમનું સ્વાગત કેટલાક પોસ્ટરો દ્વારા કરવામાં આવ્યું. આ પોસ્ટરમાં મમતા પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં યૂથ ઓફ ડેમોક્રેસી નામથી લાવવામાં આવેલી આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે દીદી તમે અહીં ખુલીને મુસ્કરાઓ... તમે લોકતંત્રમાં છે. તો અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે દીદી અહીં તમને લોકોને સંબોધિત કરવાથી કોઈ નહીં રોકી શકે. તો એક પોસ્ટરમાં લખાયું છે કે દીદી તમારુ સ્વાગત છે... સ્વતંત્ર ભારતમાં. તો અન્ય પણ કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જે મમતા સામે તંજ કસી રહ્યા છે. આ પોસ્ટરો પરથી એ બતાવવાની જરૂરિયાત નથી કે મમતા બેનર્જી માટે લગાવવામાં આવેલા આ પોસ્ટર કઈ બાજુ ઈશારો કરે છે.
આપને જણાવી દઈએ કે આ પહેલા બંગાળમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવાની બંગાળ સરકારે મંજૂરી આપી ન હતી. બાલુરઘાટ અને રાયગંજમાં રેલીઓને સંબોધિત કરવા માટે બંગાળના દક્ષિણ દિનાઝપુર જિલ્લામાં હેલિકોપ્ટરને લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. તો મંજૂરી ન મળતા યુપીના મુખ્યમંત્રી રોડ માર્ગે બંગાળ પહોંચ્યા હતા અને રેલીને સંબોધી હતી. તો ભાજપની રથયાત્રાને પણ બંગાળમાં મંજૂરી અપાઈ ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
મહત્વનું છે કે વિપક્ષની એકજૂટતા બતાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મમતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પ્રમુખ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.