પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે નોકરીમાં આર્થિક અનામત સ્વરૂપે પછાત સવર્ણોને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ આપવાનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળ કેબિનેટે આ અંગેનો નિર્ણય કર્યો હતો, આ આરક્ષણનો લાભ તે લોકોને નહીં મળે જેમણે પહેલા જ ST, SC, તથા OBC કોટાનો લાભ મળ્યો હોય.
ઉલ્લેખનીય છે કે, મમતા સરકારે ઔપચારિક રીતે આ અંગેની જાહેરાત કરી છે. આ બિલ પર લેખિતમાં આદેશ આવવાનો હજી સુધી બાકી છે. આ બિલ મામલે મમતા સરકારનું કહેવું છે કે, આ બાબતને લીધે તમામ લોકોને એક સાથે આવવાનો અવરસ પ્રાપ્ત થશે.
ગુજરાતના વિદ્યાર્થીઓને મળી છે 10 ટકા શિક્ષણ અનામત
આ વર્ષે જે વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં એડમિશન લેવાનું હોય તેમના માટે ખુશીના સમાચાર છે. 10 ટકા આર્થિક અનામતની સાથે મેડિકલ, એન્જિનિયરિંગની બેઠકોમાં 25 ટકાનો વધારો કર્યો છે.
10 ટકા સર્વણ અનામત અમલીકરણને લઇ સરકારે નવો રસ્તો શોધ્યો છે. 10 ટકા સવર્ણ અનામતના અમલ માટે 25 ટકા બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં B.COM, BBA, BCAમાં 9 હાજર 360 બેઠકોનો વધારો કરાયો છે. તો બીએસસીમાં 3350 બેઠકો વધારવામાં આવી છે. જ્યારે બીએમાં 3588 બેઠકો વધી છે.