પહેલા શપથગ્રહણ સમારોહમાં શામેલ થવાની વાત કહેનાર મમતા બેનર્જીના મૂડમાં બુધવારે ટ્વિસ્ટ આવ્યો છે. તેમણે ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં રાજકીય આરોપ લગાવતા કહ્યુ કે, ''હવે તેઓ આ કાર્યક્રમમાં ભાગ નહી લે.'' મમતા બેનર્જીએ નિવદેન જારી કરીને કહ્યુ કે, ''શપથ ગ્રાહણ લોકતંત્રની મહત્વપૂર્ણ પરંપરા છે, પરંતુ રાજનીતિક ફાયદા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.'' મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદીને લખેલો આ પત્ર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શૅર કર્યો છે. આ સાથે જ કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને પણ શપથગ્રહણમાં શામેલ ન થવાની વાત કરી.
મમતા બેનર્જીએ પત્રમાં લખ્યુ છે કે, ''ભાજપે આ કાર્યક્રમમાં મૃત બીજેપી કાર્યકર્તાઓના પરિવારજનોને પણ બોલાવ્યા છે અને તેને રાજકીય હત્યા ગણાવી છે. મમતાએ કહ્યું છે કે, આ રાજકીય હત્યા નથી પરંતુ અંગત અદાવતના કારણે તેમની હત્યા થઈ છે.''
The oath-taking ceremony is an august occasion to celebrate democracy, not one that should be devalued by any political party pic.twitter.com/Mznq0xN11Q
તેમણે આગળ લખ્યુ છે કે,'' શુભેચ્છા, નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. તમારા આમંત્રણનો મેં સ્વીકાર કર્યો હતો અને તમારા શપથ ગ્રહણ સમારંભમાં આવવા તૈયાર હતી. પરંતુ છેલ્લાં કલાકોમાં મેં કેટલાંક રિપોર્ટ જોયા કે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે, તેમણે ભાજપના તે 54 કાર્યકર્તાઓના પરિવારને પણ આમંત્રણ આપ્યું છે જેમની બંગાળમાં રાજકીય હત્યા કરવામાં આવી છે. આ એકદમ ખોટી વાત છે. બંગાળમાં કોઈ રાજકીય હત્યા નથી થઈ. આ હત્યા તેમની અંગત અદાવત અને પારિવારિક લડાઈ તેમજ અન્ય કારણોસર થઈ છે. તેમની હત્યાને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી અને એવો કોઈ રેકોર્ડ પણ નથી.''
પ્રશ્ચિમ બંગાળના CMએ લખ્યુ કે, ''સોરી નરેન્દ્ર મોદીજી આ કારણથી હું તમારા શપથ ગ્રહણ સમારંભમાં સામેલ નહીં થઈ શકું. આ સમારંભ લોકતંત્રના જશ્નની ઉજવણી કરવાનો હતો, કોઈ રાજકીય દળને નીચા જોણું કરાવવાનો નહતો. કૃપા કરીને મને માફ કરો.''
નોંધનીય છે કે, બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ હિંસા થઈ હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઘણાં કાર્યકર્તાઓના મોત થયા છે. બીજેપી તેમને શહીદ ગણાવી રહી છે. ભાજપે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં તે દરેક 54 ભાજપ કાર્યકર્તાઓના પરિવારને પણ આમંત્રણ આપ્યું છે. તેને ભાજપના મિશન 2020ની રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે.
આ વખતે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. બંગાળની કુલ 42 લોકસભા સીટમાંથી ભાજપને 18 સીટ પર જીત મળી છે. જ્યારે ટીએમસીને માત્ર 22 સીટ પર જ જીત મળી છે. આ પહેલાં TMC પાસે 37 લોકસભા સીટ હતી. બીજેપીને અંદાજે 40 % વોટ બંગાળમાં મળ્યા છે.