મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ ગુરૂવારે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના અંકુશ બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગેના મુદ્દા પર લેવાયેલા નિર્ણયોમાં પાર્ટીએ મોદી સરકારનું સમર્થન કર્યુ છે અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના 125 લોકોને યાદી સોંપી છે.
અફઘાન મુદ્દે મોદી સરકારના નિર્ણય પર મમતા બેનર્જીનું સમર્થન
ટીએમસી સાંસદ સૌગાત રાયે અફઘાનમાં ફસાયેલા લોકોની સોંપી યાદી
અફઘાનમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના 125 લોકોને સરકાર બહાર કાઢે
અફઘાન મુદ્દે વિપક્ષી નેતાઓનું સરકારને સમર્થન
વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરૂવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં નેતાઓએ જણાવ્યું કે, સરકારે તાલિબાનને લઈને જુઓ અને પ્રતિક્ષા કરોનું વલણ અપનાવ્યું છે. જે ઉભરતી પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. બેઠકમાં હાજર રહેલા ટીએમસી સાંસદ સૌગાત રોયે કહ્યું, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયનું સમર્થન કર્યુ છે અને વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સાથે બદલાતા ઉદ્દેશ્ય પર વાતચીત કરવા માંગતા નથી. અમે બે મુદ્દા ઉઠાવ્યાં છે. પહેલા અફઘાનિસ્તાનમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના 125 લોકોને હેમખેમ રીતે બહાર નિકાળવાના. જેન યાદી અમે સરકારને સોંપી છે. જ્યારે બીજો મુદ્દો અફઘાનિસ્તાનમાં ભારતના રોકાણ, તેના ભવિષ્ય સાથે સંબંધિત છે.
જયશંકરે નેતાઓને અફઘાનની સ્થિતિ અંગે કરી જાણ
આ અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરૂવારે અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓને અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિની જાણ કરી હતી અને જણાવ્યું કે, સરકાર અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જ્યાં અત્યારે સ્થિતિ ગંભીર છે. એસ જયશંકરે કહ્યું કે, ભારતનું પ્રાથમિક વલણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તથા અફઘાનિસ્તાનના લોકો સાથે મિત્રતા કરવી છે.