મમતા બેનર્જીએ સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કર્યા.
મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કર્યા
દીદીએ બાંગ્લા ભાષામાં શપથ લીધા
પીએમ મોદીએ પણ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કર્યા
પશ્ચિમ બંગાળમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જીએ સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ જગદીપ ધનખડે કોવિડ 19ના કહેરની વચ્ચે રાજભવનમાં આયોજિત સામાન્ય સમારોહમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
દીદીએ બાંગ્લા ભાષામાં શપથ લીધા
બેનર્જીએ બાંગ્લા ભાષામાં શપથ લીધા. પાર્થ ચેટર્જી અને સુબ્રત મુખર્જી જેવા ટીએમસીના નેતાઓ ઉપરાંત ટીએમસીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા રણનીતિકાર પ્રશાંત કિશોર અને બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી આ સમારોહમાં હાજર હતા. બેનર્જીએ કહ્યુ કે પદ સંભાળ્યા બાદ તેમની પહેલી પ્રાથમિક્તા કોરોનાની સ્થિતિને પહોંચી વળવાની રહેશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તાત્કાલિક તમામ રાજનીતિક દળોને શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી. મમતાએ રાજનીતિક હિંસા પર કહ્યુ કે બંગાળના પ્રશાસનિક તંત્ર ચૂંટણી પંચને આધિન હતુ. હવે અમે ગળબડીને પહોંચી વળીશુ.
રાજ્યપાલે હિંસા પર મમતાને શું કહ્યું?
ત્યારે મમતાના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ જગદીપ ઘનખડે કહ્યુ કે આપણી પહેલી પ્રાથમિકતા રાજ્યોમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાને સમાપ્ત કરવાની છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યુ કે હું મમતાજીને તેના ત્રીજા કાર્યકાળના અભિનંદન પાઠવું છુ. અમારી પ્રાથમિકતા એ છે કે આ હિંસાનો અંત કરવાનો હોવો જોઈએ. જેણે મોટા પાયે સમાજને અસર પહોંચાડી છે. મને પૂરી આશા છે કે સીએમ તત્કાલ આધાર પર કાયદાના શાસનને બહાલ કરવા માટે તમામ પગલા ઉઠાવશે.
"Congratulations to Mamata Didi on taking oath as West Bengal’s Chief Minister," tweets Prime Minister Narendra Modi.
મમતાના શપથ લીધા બાદ પીએમ મોદીએ પણ ટ્વીટ કરી. તેમણે લખ્યુ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે મમતા દીદીને અભિનંદન. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 292 સીટો પર થયેલી ચૂંટણીમાં તુણમુલ કોંગ્રેસ 213 સીટો પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપે વિધાનસભામાં આ સભ્ય સંખ્યામાં 3થી 77 સુધી પહોંચવામાં સફળ રહી છે.