મમતા બેનર્જીએ મોદી સરકાર પર ચર્ચા કર્યા વગર જ નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે એક દિવસ સવારે તમે જાગો અને પોતાને નોટબંધી, લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિઓથી ઘેરાયેલા પામો છો"
પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
પીએમ મોદીને ટાંકી PM Cares Fund નો હિસાબ માંગ્યો
નોટબંધી, લોકડાઉનને લઈને મોદી સરકાર પર સાધ્યું નિશાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં તેમની કામગીરીનો હિસાબ માંગ્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને સત્તા ધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ ભાજપ ના નેતાઓનું નામ લીધા વિના પ્રશ્નો કર્યા હતા. તેમણે સરકાર પર ખોટા નિર્ણયો લેવાનો આરોપ મૂક્યો હતો. બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ મમતા સરકાર પર આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
You have security personnel with you. How can someone attack you? Instead of depending on the state, you depend on central force. The attack might have been planned, I have asked Police to investigate but I won't put up with lies all the time: West Bengal CM Mamata Banerjee https://t.co/ex4V6A2ouEpic.twitter.com/lyUh5J5Zau
હું તેમને તેમનો હિસાબ પૂછવા માંગુ છું : મમતા બેનરજી
એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજી એ કહ્યું, 'તેઓ અમને અમારા ફંડની ગણતરી કરવાનું કહે છે. હું તેમને પહેલા PM Cares Fund નો હિસાબ પૂછવા માંગું છું. એટલું જ નહીં, તેમણે સરકાર પર ચર્ચા કર્યા વિના નિર્ણય લેવાનો આરોપ પણ લગાવ્યો છે. તેણે કહ્યું, 'એક દિવસ તમે જાગૃત થશો અને પોતાને ડિમોનેટાઇઝેશન, લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિમાં જોશો.' તેમણે કહ્યું કે આ પગલાં કોઈ પણ ચર્ચા કર્યા વિના લેવામાં આવ્યા હતા.
They ask us to give them an account of the funds. First I would like to ask them to provide an account of PM CARES Fund. One day you wake up to find yourself in dire situation like demonetisation, lockdown and these actions are taken without any prior discussions: West Bengal CM pic.twitter.com/i9LiAMJKYL
ભારતીય જનતા પાર્ટીની સરકારને લઈને મમતા બેનરજી આજે એકદમ આક્રમક મૂડમાં હતા. તેમણે કહ્યું, 'તેમની પાસે કોઈ કામ નથી. ક્યારેક ગૃહ પ્રધાન અહીં આવે છે, તો ક્યારેક ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, બડ્ડા અહીં આવે છે. તેમણે કહ્યું, 'જ્યારે તેમની પાસે કોઈ પ્રેક્ષક ન હોય, ત્યારે તેઓ તેમના કાર્યકર્તાઓને અહીં નૌટંકી કરવા બોલાવે છે.'
#WATCH They (BJP) has no other work. At times Home Minister is here, other times its Chaddha, Nadda, Fadda, Bhaddha is here. When they've no audience, they call their workers for doing Nautanki: West Bengal CM Mamata Banerjee addressing a public rally in Kolkata pic.twitter.com/uXrIyhdrj2
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય પ્રવાસ પર રાજ્ય પહોંચ્યા છે. પ્રથમ દિવસે, તેમણે બંગાળમાં પાર્ટીની ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. ગુરુવારે, પ્રવાસ પર નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો. ભાજપ એ તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કર્યો હતો. જો કે મમતા બેનરજી એ નડ્ડાના કાફલા પરના હુમલાને મોદી સરકારની નૌટંકી ગણાવી છે. તેમણે કહ્યું કે BSF અને CRPF હેઠળ કોઈ તમને કેવી રીતે સ્પર્શી શકે છે.