ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મહોમ્મદ પર આપેલી વિવાદીત ટિપ્પણીને લઈને દેશના કેટલાય રાજ્યોમાં હોબાળો મચેલો છે.
નૂપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં હોબાળો
પશ્ચિમ બંગાળના હાવડામાં પણ થઈ બબાલ
મમતા બેનર્જીએ કહી આ વાત
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મહોમ્મદ પર આપેલી વિવાદીત ટિપ્પણીને લઈને દેશના કેટલાય રાજ્યોમાં હોબાળો મચેલો છે. કેટલીય જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ બબાલ થઈ છે. તેને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર બરાબરના પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે કરેલા કર્મોના ફળ લોકો શું કામ ભોગવે ?
CM મમતા બેનર્જીએ કહ્યું કે, હાવડામાં જે થઈ રહ્યું છે, તેની પાછળ અમુક રાજકીય પાર્ટીઓ છે. તેઓ રમખાણો કરાવવા માગે છે, પણ તેમને સાંખી લેવામાં નહીં આવે. તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. ભાજપના કર્મોનું ફળ લોકો શું કામ ભોગવે ? આપને જણાવી દઈએ કે, નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ હાવડામાં પણ હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. રાજ્ય સરકારે શુક્રવારે કોઈ પણ પ્રકારની અફવા ફેલાતા રોકવા માટે સોમવારે સવાર છ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાના આદેશ આપ્યા હતા.
With Presidential election around the corner, West Bengal CM Mamata Banerjee, with an initiative of strong & effective opposition against divisive forces, has reached out to the opposition CMs & leaders to participate in a joint meeting at Constitution Club, Delhi on June 15: TMC pic.twitter.com/vjOZEuz739
શનિવારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે કહ્યું કે, સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસે કહ્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામા આવી છે. કલમ 144ને 15 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.
ભાજપે કેન્દ્રીય દળની માગ કરી
પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ સૌમિત્ર ખાને શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં બંગાળને સુરક્ષિત રાખવા માટે કેન્દ્રીય ફોર્સ મોકલવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકોને દમનકારી અને અત્યાચારી સરકારમાંથી આઝાદી અપાવવા માટે કેન્દ્રીય ફોર્સની માગ કરી છે.