પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા ચરણનું મતદાન કરવામાં આવ્યું છે ત્યારે મમતા બેનર્જીએ આજે પીએમ મોદી, અમિત શાહ અને ચૂંટણી પંચ પર આરોપો લગાવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં થયું બીજા ચરણનું મતદાન
મમતા બેનર્જીએ નંદીગ્રામમાં કરી સમીક્ષા
તમારા ગુંડાઓને કાબૂમાં રાખો : મમતા બેનર્જી
શું કહ્યું મમતા બેનર્જીએ
પશ્ચિમ બંગાળમાં આજે બીજા ચરણ માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર હુમલા કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જ તેમણે ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવ્યો અને ગૃહમંત્રી અમિત શાહ તથા ચૂંટણી પંચને કહ્યું કે તમારા ગુંડાઓને કાબૂમાં રાખો. બેનર્જીએ કહ્યું કે હું અહિયાં વિક્ટરી સાઇન બતાવી રહી છું. અમિત શાહ અને ચૂંટણી પંચને સોરી, પણ મહેરબાની કરીને તમારા ગુંડાઓને કાબૂમાં રાખો. તે અહિયાં મહિલા પત્રકારો સાથે ધક્કા મુક્કી કરી રહ્યા છે. મેં રાજ્યપાલ સાથે શું વાતચીત કરી છે તે હું જણાવી ન શકું. પણ મેં આટલી ખરાબ ચૂંટણી નથી જોઈ.
I am showing you 'V' for victory sign. I'm sorry Election Commission & Amit Shah, please control your goons who are heckling woman journalists in rallies. I can't reveal what I discussed with Observer&Gov, it's confidential.I haven't seen such a bad election:WB CM Mamata Banerjee pic.twitter.com/0QQzA6p4Ty
નોંધનીય છે કે બંગાળની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા નંદીગ્રામમી છે અને આ બેઠક પરથી મમતા બેનર્જી અને અધિકારી આમનેસામને આવી ગયા છે ત્યારે આજે મમતા બેનર્જી નંદીગ્રામમાં મતદાનની સમીક્ષા કરવા માટે નીકળ્યા હતા. સમીક્ષા કરવા નીકળેલા મમતા બેનર્જીએ ગંભીર આરોપ લગાવ્યો અહિયાં સામાન્ય પ્રજાને વોટ કરવા દેવામાં આવતી નથી. મમતા બેનર્જીએ ફોન કરીને રાજ્યના રાજ્યપાલને પણ આ મુદ્દે ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યપાલે ટ્વિટ કરીને કહ્યું કે પ્રશ્નોના ઉકેલ કરવા માટે યોગ્ય કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે.
હું જીતીશ ચૂંટણી : મમતા બેનર્જી
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે અમે ચૂંટણી પંચમાં 63 ફરિયાદો દાખલ કરી છે. હું નંદીગ્રામ માટે ચિંતિત નથી, મને લોકશાહીની ચિંતા છે. નંદીગ્રામમાં મા, માટી, માનુષના આશીર્વાદથી હું જ ચૂંટણી જીતીશ.
સાંજે છ વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન?
બીજા ચરણના મતદાનમાં સાંજે છ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 80.43% જ્યારે આસામમાં 73.03% મતદાન થયું હતું.