પશ્ચિમ બંગાળના કલકત્તામાં 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ સમારોહ દરમિયાન થયેલી નારેબાજીની ઘટના મામલે મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે.
મમતા બેનર્જીના ભાજપ પર આકરા પ્રહાર
કહ્યું- ભાજપ સામે માથું ઝુકાવ્યા કરતા મારું ગળુ કાપવાનું પસંદ કરીશ.
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે હુગલીમાં એક જનસભાને સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સભાને સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે, હું ભાજપ સામે માથું ઝૂકાવ્યા કરતા શિરચ્છેદ કરવાનું પસંદ કરીશ પરંતુ, ભાજપ સામે નહીં નમું.
#WATCH | Netaji Subhash Chandra Bose is everyone's leader...They were teasing me in front of Prime Minister (at Victoria Memorial on Jan 23)... I don't believe in guns, I believe in politics. BJP has insulted Netaji and Bengal: West Bengal CM Mamata Banerjee in Pursura, Hoogly pic.twitter.com/TVPFnbo6bi
મમતાએ કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીની સામે તેમને ચીડવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે જો તેને બંદૂક બતાવવામાં આવશે તો તે બંદૂકની સંદૂક બતાવી શકે છે, પરંતુ તે રાજકારણમાં માને છે, બંદૂકોમાં નહીં.
સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે થયાં હતા સૂત્રોચ્ચાર
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
સીએમ મમતા બેનર્જીએ આ સૂત્રોચ્ચારનો જોરદાર વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે સરકારના કાર્યક્રમમાં થોડી ગરિમા હોવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. તેમણે કહ્યું કે કોઈને આમંત્રણ આપ્યા બાદ તેનું અપમાન કરવું યોગ્ય નથી. આ સાથે તેમણે કાર્યક્રમમાં કંઇપણ બોલવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે હું વિરોધ તરીકે કંઈપણ બોલીશ નહીં.
#WATCH | I think Govt's program should have dignity. This is not a political program....It doesn't suit you to insult someone after inviting them. As a protest, I won't speak anything: WB CM Mamata Banerjee after 'Jai Shree Ram' slogans were raised when she was invited to speak pic.twitter.com/pBvVrlrrbb
નોંધનીય છે કે મમતા બેનર્જીએ પીએમ મોદીની સામે જ નારાજગી વ્યક્ત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન, ઘણા કલાકારોએ તેમની પ્રસ્તુતિ આપઇ હતી. તે જ સમયે, પીએમ મોદીએ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો છે. શનિવારે સુભાષચંદ્ર બોસની જન્મજયંતિ નિમિત્તે કોલકાતામાં 7 કિમી લાંબી રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.
મમતા બેનર્જીએ દેશમાં 4 રાષ્ટ્રીય રાજધાનીની કરી ચૂક્યા છે માગ
મમતા બેનર્જીએ પરાક્રમ દિવસ મુદ્દે કહ્યું હતું કે અમે આજે દેશનાયક દિવસ મનાવ્યો છે, રવીન્દ્રનાથ ટાગોરે નેતાજીને દેશનાયક કહ્યું હતું, આ પરાક્રમ શું છે? મમતાએ સાથે સાથે કહ્યું કે જ્યારે નેતાજીએ ઇંડિયન નેશનલ આર્મીનું ગઠન કર્યું હતું અને તે સમયે ગુજરાત, બંગાળ અને તમિલનાડુ સહિતના લોકોએ સાથ આપ્યો હતો.