મમતા બેનર્જી 5 મેના રોજ ત્રીજી વાર પશ્ચિમ બંગાળના સીએમ તરીકે શપથ લેશે.
કોવિડ 19ના ચાલતા સમારોહમાં કેટલાક વ્યક્તિ હાજર રહેશે
બેનર્જી 5 મે સવારે 10. 45 મિનિટ પર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
નવા પસંદગી પામેલા સભ્યો 6 મેના રોજ વિધાનસભામાં શપથ લેશે
કોવિડ 19ના ચાલતા સમારોહમાં કેટલાક વ્યક્તિ હાજર રહેશે
રાજ્યપાલ જગદીપ ધનખડે સોમવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે કોવિડ 19ના ચાલતા સમારોહમાં કેટલાક વ્યક્તિ હાજર રહેશે. આ પહેલા બેનર્જીએ નિયમોનું પાલન કરતા રાજ્યપાલને પોતાનું રાજીનામુ સોંપ્યુ. ધનખડે ટ્વીટ કરી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મારી મુલાકાત કરી અને મુખ્યમંત્રી પદમાંથી રાજીનામુ સોપ્યું. જેને સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. જેને વૈકલ્પિક વ્યવસ્થા થવા સુધી પદ પર બની રહેવાની વિનંતી કરવામાં આવી છે.’
બેનર્જી 5 મે સવારે 10. 45 મિનિટ પર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
ધનખડે ટ્વીટ કરી ટીએમસી દ્વારા મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળની 17મી વિધાનસભાના નેતા તરીકે પસંદગી પામ્યા બાદ બેનર્જીને 5 મે સવારે 10. 45 મિનિટ પર મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે રાજભવન આમંત્રિત કરવામાં આવ્યા છે. તૃણમૂલ ધારાસભ્યોએ હાજર વિધાનસભાના અધ્યક્ષ વિમાન બેનર્જીને નવી વિધાનસભાના કેરટેકર અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે.
નવા પસંદગી પામેલા સભ્યો 6 મેના રોજ વિધાનસભામાં શપથ લેશે
ટીએમસી મહાસચિવ પાર્થ ચેટર્જીએ પાર્ટી મુખ્યાલયમાં થયેલી ધારાસભ્યોની બેઠક બાદ પત્રકારોને કહ્યું કે નવા પસંદગી પામેલા સભ્યો 6 મેના રોજ વિધાનસભામાં શપથ લેશે. હાલમાં જ સંપન્ન પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને 292માંથી 213 સીટ જીતી ત્રીજીવાર સત્તામાં આવ્યા છે. ભાજપા 77 સીટ પર જીતી છે.
જેપી નડ્ડા કરશે બંગાળ પ્રવાસ
ચૂંટણીના પરિણામ બાદ થયેલી હિંસાને જોતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસના પ્રવાર પર બંગાળ જઈ રહ્યા છે. નડ્ડાનો આ પ્રવાસ 4 મેએ શરુ થશે અને આ 2 દિવસના પ્રવાસ દરમિયાન નડ્ડા હિંસામાં પીડિત ભાજપના કાર્યકર્તાઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરશે. આ સાથે બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા થયેલી હિંસાના વિરોધમાં ભાજપ 5 મેના રોજ દેશ ભરમાં પ્રદર્શન કરશે. પાર્ટીએ કહ્યુ કે પ્રદર્શન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. પ્રદર્શનમાં ભાજપના તમામ મંડળોને સંગઠનનો ભાગ લેશે.
રાજ્ય ભરમાં હિંસા
હકિકતમાં ચૂંટણીના પરિણામ આવ્યાના એક દિવસ બાદ બંગાળમાં સોમવારે વ્યાપક સ્તર પર હિંસા જોવા મળી. જેમાં કથિત રીતે અથડામણ અને દુકાનોને લૂંટવામાં આવી આ દરમિયાન ભાજપના કાર્યકર્તાના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનામાં તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.