પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પીએમ આવાસ પહોંચ્યા. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને મિઠાઇ અને કુર્તો ભેટ આપ્યા. મમતા બેનર્જીએ એક દિવસ પહેલા પીએમ મોદીના જન્મદિવસે ટ્વિટ કરીને તેમને શુભકામના પાઠવી. એમણે કહ્યું, પ.બંગાળનું નામ બદલવાને લઇે પણ વાતચીત થઇ હતી.
PM નરેન્દ્ર મોદી-મમતા બેનર્જી વચ્ચે થઇ મુલાકાત
નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં આવ્યા બાદથી બંને નેતાઓના સંબંધો સારા નથી રહ્યા
ગત ચૂંટણીમાં જોવા મળી હતી પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે નિવેદનબાજી
મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત માટે સમય માંગ્યો હતો. મમતા 20 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં છે. પહેલા બંને નેતાઓની આ મુલાકાત મંગળવારે થવાની હતી. પરંતુ જન્મદિવસ પર પીએમ મોદીના પહેલાથી નક્કી કાર્યક્રમને કારણે આ મુલાકાત સંભવ ન બની. આ ઉપરાંત મમતા બેનર્જીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાતની પણ ઇચ્છા જાહેર કરી હતી.
મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું કે મુલાકાત સારી રહી. પ.બંગાળનું નામ બદલવાને લઇે પણ વાતચીત થઇ હતી. મમતા બેનર્જીએ જણાવ્યું કે કોલ બ્લોક મુદ્દા પર વાત થઇ છે. એમણે કહ્યું કે એનઆરસીને લઇને પીએમ મોદી સાથે કોઇ વાત નથી થઇ. આ આસામને લઇને છે, અમે બંગાળમાં તેને લાગૂ નહીં કરીએ.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પ.બંગાળનું નામ બાંગ્લા કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપવાથી ઇનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ માટે બંધારણ સંશોધનની આવશ્યકતા છે.
પીએમ મોદીએ કર્યો હતો ખુલાસો, મમતા બેનર્જી વર્ષે એક-બે કુર્તા મોકલે છે
લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે જબરદસ્ત નિવેદનબાજી જોવા મળી હતી. નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં આવ્યા બાદથી બંને નેતાઓના સંબંધો સારા નથી રહ્યા. પરંતુ આ કડવાહટ બાદ પણ મમતા પીએમ મોદીને વર્ષમાં એક-બે કુર્તા મોકલે છે. આ વાતનો ખુલાસો ખુદ પીએમ મોદીએ કર્યો હતો.
પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા એક ઇન્ટરવ્યૂમાં રાજનીતિ સાથે સંકળાયેલા લોકોને પોતાના સંબંધો વિશે જાણકારી આપતા બતાવ્યું હતું કે મમતા દીદી વર્ષમાં જરુર એક-બે કુર્તા મોકલે છે. મમતા બેનર્જી આ પહેલા ઘણા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાથી બચતી રહી છે.
ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે માસમાં કહ્યું હતું કે તોફાન 'ફાની' પર ચર્ચા કરવા માટે 2 વાર મમતા બેનર્જીને ફોન લગાવ્યો, પરંતુ તેમનો સંપર્ક ન થઇ શક્યો. ત્યારે મમતાએ કહ્યું હતું કે, એ તેમને (પીએમ નરેન્દ્ર મોદી) દેશના વડાપ્રધાન નથી માનતી.