પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામની ચૂંટણીના પરિણામોને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યા છે. આ મામલા પર સુનવણી શુક્રવારે એટલે કે આજે થશે. રાજ્યમાં ત્રીજી વાર સત્તા પર આવનારા મમતા બેનર્જીની પાર્ટી તૂણમૂલ કોંગ્રેસની ચૂંટણીમાં ભલે 200થી વધારે સીટો મળી હોય પણ પોતે ચૂંટણી હારી ગયા હતા. મમતા બેનર્જી સતત નંદીગ્રામની ચૂંટણીના પરિણામને લઈને આરોપ લગાવતા રહ્યા છે.
બેનર્જીએ કહ્યુ હતુ કે નંદીગ્રામની જનતાના નિર્ણયને સ્વીકારે છે
2 મેએ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે નંદીગ્રામની જનતાના નિર્ણયને સ્વીકારે છે. પરંતુ મતગણના દરમિયાન ગડબડી થયાના મામલાને લઈને તે કોર્ટ જશે. કેમ કે તેમની પાસે જાણકારી છે કે ચૂંટણીના પરિણામનું એલાન કર્યા બાદ કેટલાક મૈનિપુલેશન કરવામાં આવ્યા જેનો કે ખુલાસો કરશે. હકિકતમાં ચૂંટણી આવતાની સાથે શુભેન્દુ અધિકારી આગળ હતા. જો કે 16માં રાઉન્ડની ગણતરી બાદ મમતા બેનર્જી આગળ થઈ. એ બાદ બાજી પલ્ટાઈ અને અધિકારી આગળ થયા અને જીતનું એલાન થયું.
શુભેન્દુ અધિકારી આ સમયે વિપક્ષના નેતા
મનાઈ રહ્યું હતુ કે મમતા આને લઈને કોર્ટમાં જઈ શકે છે. નંદીગ્રામમાં મમતાને હરાવનારા નેતા શુભેન્દુ અધિકારી આ સમયે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ છે. હાલમાં જ્યારે પીએમ નરેન્દ્ર મોદી યાસ તોફાનની સમીક્ષા બેઠક માટે પશ્ચિમ બંગાળ ગયા હતા. ત્યારે થયેલા વિવાદ પાછળ મુખ્ય કારણ શુભેન્દુ અધિકારીને ગણાવવામાં આવે છે. હકિકતમાં તૂણમૂલ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ બેઠક પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની વચ્ચે થવી જોઈએ. બેઠકમાં નેતા વિપક્ષનું કોઈ કામ નથી. જો કે બાદમાં કેન્દ્ર તફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની પ્રથા પહેલાથી રહી છે.