પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ રાંધણગેસના ભાવવધારાની વિરુદ્ધમાં પદયાત્રા કાઢી હતી.
મમતાએ રાંધણ ગેસના ભાવવધારાની સામે કર્યો દેખાવ
હજારો ટેકેદારો સાથે દાર્જિલિંગથી દેખાવ કૂચ કરી શરુ
થોડા સમયમાં રાંધણગેસ સામાન્ય લોકોની પહોંચથી થશે દુર-મમતાનો દાવો
હજારો ટેકેદારોથી હાજરીમાં મમતાએ સિલીગુડુથી થી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો.
પદયાત્રામાં ઘણા સમર્થકો એલપીજી સિલિન્ડરના લાલ રંગના કાર્ડબોર્ડ સાથે દેખાયા હતા. ટીએમસીના હજારો કાર્યકરો તથા મમતા સરકારના મંત્રી ચંદ્રીમા ભટાચાર્ય અને સાંસદ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાન હાજર રહ્યાં હતા.
પીએમ મોદી પર પ્રહાર કરતા મમતાએ એવો લલકાર કર્યો કે અમારી સાથે જે પણ ટકરાશે તે ચકનાચૂર થઈ જશે.
થોડા વખતમાં રાંધણગેસના ભાવ સામાન્ય લોકોની પહોંચમાંથી દૂર રહેશે તેવો દાવો કરતા મમતાએ કહ્યું કે અમારો અવાજ બુલંદ બનાવવા માટે મોટાપાયે વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
West Bengal: Chief Minister Mamata Banerjee leads 'padyatra' against LPG cylinders' price hike, in Siliguri pic.twitter.com/T2tcee8qoM
ભટ્ટાચાર્યે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક રેલીનું આયોજન કરવામાં આવશે અને મહિલાઓએ પણ તેને ટેકો આપ્યો છે.
મમતાએ જણાવ્યું કે પરિવર્તન બંગાળમાં નહીં પરંતુ દિલ્હીમાં થશે. મોદી કહે છે કે બંગાળમાં મહિલાઓ સલામત નથી પરંતુ હું કહું છું કે તેમણે યુપી, બિહાર અને બીજા રાજ્યોની મહિલાઓની સ્થિતિ જોવી જોઈએ. બંગાળમાં તો મહિલાઓ સુરક્ષિત છે.