પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ના ઈશારા પર ચૂંટણી પંચે સમયથી પહેલાં રેલી અને સભાઓ પર રોક લગાવી દીધી છે. મમતા બેનર્જીએ અમિત શાહ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે અમિત શાહ કરે અને સજા અમને મળે. તેમણે કહ્યું કે અમિત શાહે બંગાળીઓનું અપમાન કર્યુ છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો ચે અને આ નિર્ણય ગેરબંધારણીય છે.
મમતા બેનર્જીએ કહ્યું કે આ તમામ ચાલ મુકુલ રૉય રચી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય સુરક્ષાબળોને કારણે હિંસા થઈ છે. દોષિતોની વિરુદ્ધમાં ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી નથી કરી. મમતાએ આ સાથે ચેતવણી આપી કે બંગાળને યુપી, બિહાર કે ત્રિપુરા ન સમજતા. રાજ્ય સરકારની સુરક્ષા હોત તો હિંસા ન થાત.
West Bengal CM, Mamata Banerjee: Election Commission's decision is unfair, unethical and politically biased. PM Modi given time to finish his two rallies tomorrow. pic.twitter.com/nsU9l5TJ7u
મમતા બેનર્જીએ કહ્યું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી મારાથી ડરી ગયાં છે. મોદી બંગાળની જનતાથી ડરે છે. અમિત શાહને ચૂંટણી પંચે નોટિસ કેમ ન આપી? ભાજપ બંગાળને પોતાના ઈશારા પર નહીં ચલાવી શકે.
West Bengal Chief Minister Mamata Banerjee in Kolkata: Goons were brought from outside, they created violence wearing saffron, violence similar to when Babri Masjid was demolished. https://t.co/pv994Tp125
મહત્વનું છે કે આજે મોડી સાંજે લોકસભા ચૂંટણી 2019 માટે 19 મે પશ્ચિમ બંગાળની 9 સીટો માટે મતદાન યોજાય એ પહેલા રાજકીય ઘમાસાણ સર્જાયું. બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા થયા બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આવતી કાલે રાત્રે 10 વાગ્યા બાદથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદી દીધો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પ્રિન્સિપલ સેક્રેટરી અને પશ્ચિમ બંગાળના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી પ.બંગાળમાં 17મીએ આચારસંહિતા લાગુ પડવાની હતી તેના બદલે એક દિવસ પહેલાં જ લાગુ પડી જશે.
West Bengal CM, Mamata Banerjee in Kolkata: Narendra Modi you cannot take care of your wife, how can you take care of the country? pic.twitter.com/oSL45s7lG5
ઉલ્લેખનીય છે કે મગંળવારે કોલકત્તામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના મેગા રોડ શોમાં હિંસા ફાટી નીકળી હતી. રોડ શોમાં ટીએમસીઅને બીજેપી સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જે બાદથી મમતા બેનર્જી અને અમિત શાહ સામ સામે આવી ગયા છે. બંને પાર્ટી તરફથી રાજકીય નિવેદન બાજી થઇ રહી છે. સૂત્રોનું માનીએ તો, અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા મામલે ભાજપના વરિષ્ઠ નેતા ઉપરાષ્ટ્રપતિને મળ્યા.
West Bengal CM, Mamata Banerjee: Election Commission is running under the BJP. This is an unprecedented decision. Yesterday's violence was because of Amit Shah. Why has EC not issued a show-cause notice to him or sacked him? pic.twitter.com/1RKeviP4aR
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાના મામલે હવે રાજકીય સંગ્રામ છેડાયો છે. હિંસાને લઇને ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.
West Bengal CM, Mamata Banerjee: Amit Shah today did a press conference, threatened EC, is this the result of that? Bengal is not scared. Bengal was targeted because I am speaking against Modi. pic.twitter.com/xq2QCNrxgp
મમતા બેનરજીએ ભાજપને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તમારા લોકોનું નસીબ સારું છે કે હું અહીં શાંત બેઠી છું, અન્યથા હું એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપના કાર્યાલય અને તમારાં ઘરો પર કબજો કરી શકું છું.