પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર રાજ્યમાં પોતાનો બહુમત ગુમાવી ચૂકી છે, આગામી વિધાનસભા સત્રમાં સરકારના વિશ્વાસના મતનું પરીક્ષણ કરવામાં આવશે ત્યારે તે બહુમતી સાબિત કરી શકશે નહીં અને રાજ્યમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઇ જશે. ઘોષે આ દાવો તૃણમૂલ કોંગ્રેસના એક ધારાસભ્ય સહિત કેટલાક કાર્યકર્તાઓને એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સદસ્યતા આપતા સમયે કહ્યું હતું.
100થી વધુ ધારાસભ્યો છોડી શકે છે પક્ષ
દિલીપ ઘોષે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ પોતાનો આધાર ગુમાવવાથી મુંજાઇ ગઇ છે. ત્યારબાદ કેટલાક સ્થાનિક દળોએ પણ તેમની સાથેથી છેડો ફાડ્યો છે. આ સાથે જ આજના સમયમાં તેમના 100થી વધુ ધારાસભ્યો પક્ષ છોડવાનો અવસર શોધી રહ્યા છે. આવી હાલતમાં મમતા બેનર્જી લાંબા સમય સુધી પોતાની સરકાર નહીં ચલાવી શકે અને ટૂંક સમયમાં નવી સરકાર રચાઇ શકે છે.
મુકુલ રોયનું નિવેદન
ભાજપના નેતા મુકુલ રાયે કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ રાજ્યમાં 211 બેઠક પર જીત મેળવીને સત્તામાં આવી છે. ત્યારબાદ કેટલાક અન્ય દળથી કેટલાક લોકોએ છેડો ફાડીને તૃણમુલ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતો. પરંતુ આજના સમયમાં કેટલાક તૃણમુલ કોંગ્રેસ નેતા પક્ષને અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી પ.બંગાળમાં થઇ રહી છે હિંસા
લોકસભાની ચૂંટણી સમયથી જ પ.બંગાળ હિંસાની ઘટનાઓ બની રહી છે, ભાજપના તે સમયના પ્રચારક તથા વર્તમાન ગૃહમંત્રીની એક રેલીમાં મોટાપાયે હિંસા થઇ હતી. ત્યારબાદ એક યુવતીની હત્યા બાદ પણ હિંસા ફાટી નીકળી હતી, તો વળી તાજેતરમાં એક ડોક્ટરને માર મારવા મુદ્દે 700 ડોક્ટરોએ રાજીનામાં ધરી દીધા હતા. આ તમામ ઘટનાને લીધા પ.બંગાળની સ્થિતિ હાલ ડહોળાયેલી છે.