પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ વચ્ચે રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર લખીને કહ્યું છે કે, રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ હિંસક ઘર્ષણની કેટલીક ઘટનાઓ બની છે. પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે.
આપને જણાવીએ કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસામાં શનિવારે ચાર લોકોના મોત બાદ કેન્દ્રે એક સૂચન જાહેર કર્યું હતું. જેના પર રાજ્ય સરકારે આ જવાબ આપ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ મલય કુમારે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું કે, હિંસાના તમામ મામલાઓમાં વિના વિલંબે કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. એમણે લખ્યું કે, ચૂંટણી બાદ કેટલાક અસામાજિક તત્વોએ હિંસાને અંજામ આપ્યો.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર 24 પરગના જિલ્લામાં નાજટ પોલીસ સ્ટેશન ક્ષેત્ર હિંસક ઘટના સંબંધિત ફરિયાદ નોંધવામાં આવી છે. અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. એ પણ એવા સમયે જ્યારે પોલીસ રસ્તાઓ અને આસ-પાસના ક્ષેત્રોમાં શાંતિ બનાવી રાખવામાં વ્યસ્ત છે. આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઇપણ પરિસ્થિતિમાં તેને રાજ્યમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવામાં તંત્રની નિષ્ફળતા ન સમજવી જોઇએ.
આપને જણાવીએ કે, રવિવારે બીજેપી કાર્યકર્તાઓ અને સ્થાનીય પોલીસ સામસામે આવી ગયા હતા. જેનું કારણ બીજેપીના કાર્યકર્તાઓના અંતિમ સંસ્કાર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર બીજેપી કાર્યકર્તા પોતાના સાથી કાર્યકર્તાના શબના અંતિમ સંસ્કાર કોલકત્તા જઇે કરવા માંગતા હતા. પરંતુ પોલીસે કોલકત્તા પહોંચતા પહેલા જ તેમને રોકી લીધા હતા.