બંગાળની ચૂંટણી મતદાન દરમિયાન ભાજપના શુભેન્દુ અધિકારીના કાફલા પર હુમલો અને બપોર સુધીમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં હાઈપ્રોફાઈલ બેઠક નંદીગ્રામ છે. બંગાળની ચૂંટણી પ્રચારમાં ભાજપ અને TMCની રેલીમાં અવાર-નવાર નંદીગ્રામનો ઉલ્લેખ કરાયો છે. કારણ કે, ખુદ મમતા બેનર્જી આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેની વિરુદ્ધમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ ઉમેદવારી કરી છે. ત્યારે આ બેઠક પર બંને નેતા પોતાના ઉમેદવારી વિસ્તારમાં પહોંચ્યા હતા. તો ચૂંટણીના મતદાન દરમિયાન ભાજપના શુભેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો હતો. અને બપોર સુધીમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ પણ લગાવી દીધો હતો.
શું છે સમગ્ર મામલો અને કેમ મમતાએ કર્યા આક્ષેપ
બોયાલ બૂથ પર મમતા બેનર્જી પહોંચ્યા હતા. જ્યાં મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યા બાદ મમતાએ આક્ષેપો કર્યા કે, મતદાન યોગ્ય રીતે થયું નથી. રાજ્ય બહારના લોકો સ્થાનિક લોકોને મતદાન માટે અટકાવી રહ્યા છે. મમતાની ફરિયાદ બાદ ચૂંટણી અધિકારી તેમની પાસે પહોંચ્યા અને તેમની પરેશાની જાણી હતી.
#WATCH: West Bengal CM Mamata Banerjee speaks to Governor Jagdeep Dhankhar over the phone at a polling booth in Nandigram. She says, "...They didn't allow the local people to cast their vote. From morning I am campaigning...Now I am appealing to you, please see..." pic.twitter.com/mjsNQx38BB
મમતા બેનર્જીએ અમૂક બૂથ પર નિરીક્ષણ કર્યા બાદ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આ સાથે રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કરીને કહ્યું કે, બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ. મમતાની ફોન પર ફરિયાદ બાદ રાજ્યપાલે એક ટ્વીટ કર્યું છે. જેમાં રાજ્યપાલે સંદેશ આપ્યો કે, મમતા બેનર્જીએ એક ચિંતા વ્યક્ત કરી છે. મેં તેમને યોગ્ય કાર્યવાહીનો વિશ્વાસ અપાવ્યો છે. વિશ્વાસ છે કે, સારી ભાવનાથી કામગીરી કરવામાં આવશે. જેથી લોકતંત્ર આગળ વધે.
Issues flagged @MamataOfficial a while ago on phone have been imparted to the concerned.
There is full assurance of the concerned to adherence to rule of law.
Am confident all will act in right spirit and earnestness so that democracy flourishes.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) April 1, 2021
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘણો વખત સુધી નંદીગ્રામના બોયાલ પબ્લિક સ્કૂલના બૂથ નંબર 7 પર બેસી રહ્યા હતા. મમતા બેનર્જી વિરોધ નોંધાવવા માટે વ્હીલચેર પર જ ધરણાં કરવા બેસી ગયા હતા. નંદીગ્રામમાં તૂણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે, તેમને સવારમાં મત આપતા અટકાવ્યા હતા. સાથે પોલિંગ બૂથ પર TMCના કાર્યકરોને એન્ટ્રી ન મળી હોવાની પણ વાત કરી હતી. બળજબરી રીતે લોકોને મતદાન પ્રક્રિયાથી દૂર રાખવાના આક્ષેપ ઉઠ્યા હતા. આ તમામ વચ્ચે મમતાએ ચૂંટણીપંચને પણ આક્ષેપોમાં ઘેર્યા હતા. અને કોઈ એક્શન ન લેવામાં આવી રહી હોવાની વાત કહી હતી.
I am showing you 'V' for victory sign. I'm sorry Election Commission & Amit Shah, please control your goons who are heckling woman journalists in rallies. I can't reveal what I discussed with Observer&Gov, it's confidential.I haven't seen such a bad election:WB CM Mamata Banerjee pic.twitter.com/0QQzA6p4Ty
નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના કાફલા પર હુમલો
નંદીગ્રામ બેઠક સમગ્ર બંગાળની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ બેઠક છે. ત્યારે મમતા બેનર્જી સામે ચૂંટણી લડી રહેલા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, તે 50 હજાર મતથી મમતાને હરાવશે. તો બીજી તરફ શુભેન્દુની ગાડી પર હમલો પણ થયો હતો. જેના માટે શુભેન્દુએ TMCના કાર્યકરો પર આક્ષેપ કર્યો હતો. જો કે, આ હુમલામાં શુભેન્દુને કોઈ ઈજા પહોંચી નહોતી. કાફલામાં હાજર મીડિયાની ગાડીને નુકસાન પહોંચ્યું હતું.