પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે પ્રચાર કરવા ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી
આશા રાખું છું બીજી મે સુધી દીદી સાજા થઈ જાય : અમિત શાહ
મમતા પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી : અમિત શાહ
અમિત શાહનો બંગાળમાં ધૂમ પ્રચાર
ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે પશ્ચિમ બંગાળમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં ભાજપ માટે ચૂંટણી સભાને સંબોધી હતી અને મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ દીદી કરતાં ખૂબ આગળ છે : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આશા રાખું છું કે બીજી મે પહેલા દીદીની ઇજા સારી થઈ જાય જેથી જ્યારે તે જ્યારે રાજ્યપાલને રાજીનામું આપવા જાય ત્યારે પોતાના પગ પર ચાલીને જઈ શકે. અમિત શાહે કહ્યું કે ભાજપ મમતા બેનર્જીથી ખૂબ આગળ છે. અમિત શાહે કહ્યું કે દીદીનો એક ઓડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે કે કૂચ બિહારમાં જે ચાર લોકો માર્યા ગયા છે તેમના મૃતદેહ સાથે જુલૂસ કાઢવામાં આવશે. દીદી, શરમ કરો, મૃત લોકો સાથે પણ તમે રાજકારણ કરી રહ્યા છો.
મમતા પાસે કોઈ એજન્ડા નથી : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે મમતા દીદી પાસે બંગાળના વિકાસનો કોઈ એજન્ડા જ નથી. બંગાળમાં તે 12 મિનિટ ભાષણ કરે છે જેમાં 10 મિનિટ તો મોદી અને મને ગાળો આપે છે. બે મિનિટ સુરક્ષા દળોની બુરાઈ કરે છે. બંગાળના યુવાનો આજે રોજગાર માટે બહાર જઈ રહ્યા છે. અમે એવું નક્કી કર્યું છે કે પાંચ વર્ષની અંદર દરેક પરિવારમાં એક વ્યક્તિને રોજગાર આપવામાં આવશે.