પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હી પ્રવાસે છે અને તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરીષદ કરી વિવાદીત નિવેદન આપ્યું છે.
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ મમતા બેનર્જીનું વિવાદીત નિવેદન
બોર્ડર સિક્યુરિટી ફોર્સનો અધિકાર ક્ષેત્ર વધારવાના નિર્ણયનો કર્યો વિરોધ
સરકાર ફેડરલ સ્ટ્રક્ચરને ખરાબ ના કરે: મમતા બેનર્જી
મમતા બેનર્જીએ બોર્ડર સિક્યુરીટી ફોર્સ વધારવાના નિર્ણયનો કર્યો વિરોધ
બોર્ડર સિક્યુરિટી ફોર્સનો અધિકાર ક્ષેત્ર વધારવાના નિર્ણયનો વિરોધ દર્શાવતા મમતા બેનર્જીએ કહ્યું કે BSFને વધુ પાવર આપવાથી લો એન્ડ ઓર્ડરની સાથે મુશ્કેલી આવી શકે છે. કારણકે BSFના જવાનો ગોળીબાર કરે તો ગરીબ જનતા મરી જાય છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમ્યાન BSF સાથે વાતચીત થઇ અને મેં કહ્યું કે ફેડરલ માળખુ જરૂરી છે.
ફેડરલ માળખાને મજબુત કરે સરકાર
મમતા બેનર્જીએ કહ્યું કે તમે બોર્ડર સંભાળો. રાજ્ય તમારી મદદ કરશે પરંતુ ફેડરલ સ્ટ્રક્ચરને ખરાબ ના કરશો. કેન્દ્ર સરકારે આ કાયદો તાત્કાલિક પાછો લેવો જોઈએ. તેમણે કહ્યું કે ફેડરલ માળખાને વધુ મજબુત કરવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે બંગાળને કેન્દ્ર પાસેથી પૈસા મળવાના છે અને આ મુદ્દા સંદર્ભે વડાપ્રધાન સાથે વાતચીત થઇ છે.
રસીકરણને રાજ્ય સુધી પહોંચાડવાની માંગ
પોતાની મુલાકાત અંગે જાણકારી આપતા મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી અને સાથે રસીકરણને તાત્કાલિક ઢબે રાજ્ય સુધી પહોંચાડવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રમાં રાજકીય મતભેદ ગમે તે હોય પરંતુ તેની અસર રાજ્ય અને કેન્દ્રના સંબંધમાં ના પડવી જોઈએ. તેમણે કહ્યું કે અમે ત્રિપુરાની હિંસા અંગે પણ મોદીજીને જણાવ્યું છે અને ત્યાં અમારા નેતા સયાની ઘોષ પર દાવો માંડી દેવામાં આવ્યો છે.