મમતા બેનર્જીએ કહ્યું કે, 'આપણે બાંગ્લા ભાષાને આગળ વધારવાની રહેશે. જ્યારે હું બિહાર, યૂપી અથવા પંજાબ જઉ છું તો તેની ભાષામાં બોલવાની કોશિશ કરુ છું.' બંગાળની સીએમએ કહ્યું કે, 'તેઓ આ બિલકુલ સહન નહીં કરે કે બંગાળમાં ગુંડાઓ એમ જ બાઇકો પર ફરતા રહે.'
પશ્ચિમ બંગાળમાં રાજનીતિક લડાઇ હજી પણ શરૂ છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પોતાનો વિસ્તાર કરવામાં લાગેલ છે તો બીજી બાજુ મમતા બેનર્જીએ પણ હુમલા શરૂ કરી દીધાં છે. શુક્રવારનાં રોજ નોર્થ 24 પરગનામાં મમતા બેનર્જીએ એક જનસભાને સંબોધિત કર્યા અને કહ્યું કે, તે બંગાલને ગુજરાત નહીં બનવા દે.
મમતા બેનર્જીએ કહ્યું કે, અમારે બાંગ્લા ભાષાને આગળ વધારવાની છે. જ્યારે હું બિહાર, યૂપી અથવા તો પંજાબ જઉ છું તો તેની ભાષામાં બોલવાની કોશીશ કરું છું. તેઓએ કહ્યું કે, જો આપ બંગાલમાં આવો છો, તો આપે બંગાળી જ બોલવાની રહેશે. બંગાળની સીએમએ કહ્યું કે, 'તેઓ આ બિલકુલ સહન નહીં કરે કે બંગાળમાં ગુંડાઓ એમ જ બાઇકો પર ફરતા રહે.'
West Bengal Chief Minister Mamata Banerjee: We have to bring Bangla forward. When I go to Bihar, UP, Pujnab, I speak in their language, if you are in Bengal you have to speak Bangla. I will not tolerate criminals who stay in Bengal and roam around on bikes. pic.twitter.com/rs6FSBzCst
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી દરમ્યાન જ વિવાદ ચાલી રહ્યો છે. પહેલા મતદાન દરમ્યાન હિંસા થઇ અને જ્યારે પરિણામોમાં બીજેપીએ 18 સીટો પોતાનાં નામે કરી લીધી તો ચૂંટણી બાદ હિંસા હજી વધી ગઇ. બંને જ પાર્ટીઓની નજર 2021માં થનારા વિધાનસભા ચૂંટણી પર છે, TMCને ડર છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાનો આધાર વધારી શકે છે.
બીજેપી પણ સતત એક્શનમાં છે, પાર્ટી હવે નવી રીતે સભ્યતા અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનમાં બંગાળ પર ફોકસ કરવામાં આવી રહેલ છે. એવામાં બીજેપીનાં બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પણ ટ્વિટ કરીને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. બંગાળમાં ડૉક્ટરોની હડતાળને મુદ્દા પર કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટ કર્યુ કે, મમતા દીદી આપ જ રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી છે, એવામાં આપનાં રાજમાં દર્દી પરેશાન થઇ રહ્યાં છે.
आप प्रदेश की स्वास्थ्य मंत्री भी हैं।
आपके अहंकार के कारण पिछले चार दिनो में कितने लोगों ने मौत का दरवाज़ा खटखटाया है...
कुछ तो शर्म करो .......
— Kailash Vijayvargiya (@KailashOnline) June 14, 2019
આપને જણાવી દઇએ કે બંગાળમાં આ સમયે ડૉક્ટરોની હડતાળ ચાલી રહી છે કે જે કારણોસર રાજ્યમાં વિવાદ શરૂ છે. અહીં એક જૂનિયર ડૉક્ટર સાથે કેટલાંક દર્દીઓએ બદમાશી કરી હતી, જ્યાર બાદ જ રાજ્યમાં ડૉક્ટર હડતાળ પર છે. ત્યારે મમતા બેનર્જીએ આ હડતાળની પાછળ ભારતીય જનતા પાર્ટીને જવાબદાર જણાવ્યા હતાં. ત્યારે ડૉક્ટરોને તુરંત કામ પર પરત પહોંચવાનું કહ્યું હતું.