પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે છેલ્લા દિવસથી ઘમાસાણ ચાલી રહી છે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પથ્થર ફેંકવાની ઘટના બની અને ત્યારબાદ બંન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવાના શરૂ કરી દીધા.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ઘમાસાણ
મમતા બેનર્જીએ કહ્યું- ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, ભડ્ડા ગમે ત્યારે અહીં આવી ચડે છે
નડ્ડાએ કહ્યું- આ તમારા સંસ્કાર બોલે છે
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પથ્થરમારોની આ ઘટનાને ભાજપનું નાટક ગણાવતા કહ્યું કે, તેમની પાસે બીજું કોઈ કામ નથી, દરેક અહીં રહે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 19 અને 20 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની મુલાકાતે આવશે.
#WATCH They (BJP) has no other work. At times Home Minister is here, other times its Chaddha, Nadda, Fadda, Bhaddha is here. When they've no audience, they call their workers for doing Nautanki: West Bengal CM Mamata Banerjee addressing a public rally in Kolkata pic.twitter.com/uXrIyhdrj2
ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, ભડ્ડા ગમે ત્યારે અહીં આવી ચડે છે
મમતાએ કહ્યું, 'તેમની (બીજેપી) પાસે બીજો કોઈ ધંધો નથી. ઘણી વાર ગૃહ મંત્રી અહીં હોય છે, બાકીના સમયમાં ચડ્ડા, નડ્ડા, ફડ્ડા, ભડ્ડા અહીં રહે છે. જ્યારે તેમની પાસે કોઈ પ્રેક્ષક ન હોય, ત્યારે તેઓ તેમના કાર્યકરોને નૌટંકી કરવા અહીં આવી જાય છે.
પોતાને તમાચો મારે અને આરોપ અમારા પર લગાવી રહ્યા છે
ડાયમંડ હાર્બર વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે મમતાએ આંગળી ઉભી કરી અને કહ્યું, 'તમારી સાથે સુરક્ષા કર્મીઓ છે. કોઈ તમારા પર કેવી રીતે હુમલો કરી શકે છે? હુમલાનું આયોજન કરવામાં આવ્યું હોત, મેં પોલીસને તપાસ કરવા કહ્યું છે. પરંતુ હું દરેક વખતે ખોટું સહન નહીં કરું. તેઓ (ભાજપના કાર્યકરો) દરરોજ શસ્ત્રો (રેલીઓ માટે) લઈને આવે છે. તેઓ પોતાને થપ્પડ મારી રહ્યા છે અને આ માટે તૃણમૂલ કોંગ્રેસને દોષી ઠેરવી રહ્યા છે. પરિસ્થિતિ વિશે જ વિચારો. તેઓ બીએસએફ, સીઆરપીએફ, આર્મી અને સીઆઈએસએફ સાથે ફરતા હોય છે ... તો પછી તમે આટલા ડર કેમ છો?
નડ્ડાનો પલટવાર - આ બંગાળી સંસ્કૃતિ નહીં
મમતાની વાત સાંભળીને નડ્ડાએ કહ્યું, 'તેમણે મારા વિશે ઘણાં સારા વિચારો અને શબ્દભંડોળ આપ્યા છે. મમતા જી આ તમારા સંસ્કારો જણાવી રહ્યા છે અને આ બંગાળી સંસ્કૃતિ નથી ... મમતાજી બંગાળને ઘણું નીચે લઈ ગયા છે.
2 અધિકારીઓને મોકલાયું છે સમન્સ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે ભાજપના વડા જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા અંગે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે. હવે આ મામલે ગૃહમંત્રાલયે કડક કાર્યવાહી કરતા 14 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યું છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ તેની પુષ્ટિ કરી છે.
આપને જણાવી દઇએ કે, જેપી નડ્ડાએ ગુરુવારે બંગાળની મુલાકાત દરમિયાન 24 પરગણામાં તેમના કાફલા પર ઈંટ-પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. નડ્ડાએ આ માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને દોષી ઠેરવ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબ આપવો પડશે.
રાજ્યપાલે પાસે શાહે માગ્યો રિપોર્ટ
આ ઘટના બાદ રાજ્યપાલ જગદીપ ધનકરે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અમિત શાહને એક અહેવાલ મોકલ્યો છે. શાહ નડ્ડાના કાફલા પર હુમલો થયાના એક કલાક પછી જ રિપોર્ટ માગ્યો હતો અને આ હુમલાને પ્રાયોજિત હિંસા ગણાવતા શાહે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો. આ હુમલામાં કેટલાક નેતાઓને ઇજા પહોંચી હતી અને કાફલામાં સામેલ વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
આવતા અઠવાડીયે અમિત શાહ જશે પશ્ચિમ બંગાળના પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા અઠવાડીયે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. શાહનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને ભાજપના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેમની ગાડી પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે દાવો કર્યો છે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને નાટક ગણાવ્યું છે.
19 ડિસેમ્બરે કોલકત્તા પહોંચશે અને ત્યાં 20 ડિસેમ્બર સુધી રોકાશે.
એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યાનુસાર શાહ 19 ડિસેમ્બરે કોલકત્તા પહોંચશે અને ત્યાં 20 ડિસેમ્બર સુધી રોકાશે. આવતા વર્ષે રાજયની વિધાનસભાની ચૂંટણીની વચ્ચે ટીએમસી અને ભાજપની વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રાલયના ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાની ‘સુરક્ષામાં બેદરકારી’ને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ સંબંધમાં રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવે આ સંબંધમાં જવાબ દાખલ કરવાનો છે. પશ્ચિમ બંગાળ પ્રમુખ દિલીપ ઘોષ કોલકત્તામાં કહ્યું કે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના રાજ્યના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં બેદરકારી દાખવવામાં આવી છે. કાલે તેમના કાર્યક્રમમાં પોલીસની કોઈ હાજરી નહોંતી. મે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રશાસનને આ સંબંધમાં પત્ર લખ્યો છે.
આ રીતે થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે નડ્ડાનાં બંગાળ આગમને લઈને પ્રદર્શન કરી રહેલા લોકોએ ડાયમંડ હાર્બરથી પસાર થઈ રહેલા કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન નડ્ડાના કાફલામાં શામેલ ભાજપના મહા સચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડીનો કાચ પણ તુટી ગયો હતો. બન્ને નેતાઓ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરવા માટે દક્ષિણ 24 પરગના જઈ રહ્યા હતા.