પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમને આવનારા દિવસોમાં બદલો લેવાની ધમકી આપી દીધી. બંગાળમાં થયેલા વોટિંગ દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ આરોપ પણ લગાવ્યો.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપ સીઆરપીફની વર્દીમાં આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને મોકલી રહી છે. મમતા બેનર્જીએ ધમકીભર્યા અંદાજમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, આગામી દિવસોમાં હું ઈંચ ઈંચનો બદલો લઈશ. તમે મને અને મારા બંગાળને બદનામ કર્યું છે.
રેલીને સંબોધન દરમિયાન એવું પણ કહ્યું કે, હું સીઆરપીએફનું અપમાન નથી કરતી, પણ તેઓને મતદાતાઓને પ્રભાવિત કરવા માટે નિર્દેશ અપાયો. બંગાળમાં સીઆરપીએફની નિયુક્તિ પાછળ ભાજપની ચાલ હતી કે જબરદસ્તી આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને અહીં મોકલી શકાય. મને શંકા છે કે આરએસએસના કાર્યકર્તાઓ સીઆરપીએફની વર્દીમાં બંગાળમાં મોકલવામાં આવી રહ્યા છે.
દેશના 7 રાજ્યોની 59 લોકસભા બેઠકો માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાયેલ હતી.
દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન હતું. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થયેલ. ત્યારે, સરેરાશ 63.3 ટકા મતદાન થયું હતું.