પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજરોજ હાવડામાં રાજ્ય સ્તરની વહીવટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મંત્રી તથા સીનિયર પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા, બેઠક પૂર્ણ થયાં બાદ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર શાબ્દિક બાણ છોડ્યા હતા.
આપને જણાવી દઇએ કે, તેમણે સરકારને ચેતાવણી પણ આપી હતી કે, કોઇ પાર્ટીને પોતાની સરકાર પડવા નહીં દે. નોંધનીય છે કે, રાજ્યમાં હાલ તણાણભરેલી સ્થિતિ છે. ભાજપના નેતા અને ધારાસભ્ય તથા મંત્રીએ રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે, જેને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તીખા પ્રહાર કર્યા હતા. જો કે, મમતા બેનર્જી રાજ્યમાં થઇ રહેલી હિંસા બાબતે મૌન રહ્યા હતા.
2021માં યોજાશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળામાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપ તથા TMC ના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથ઼ડામણ થઇ રહી છે. આ તરફ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીનો જવાબ આપતા મમતા સરકારે કહ્યું કે, રાજ્યમાં કાનૂની વ્યવસ્થા યોગ્ય કરવામાં આવી રહી છે, બીજી તરફ મમતાએ બીજા દળોને ચેતાવણી આપતા કહ્યું હતું કે, તેઓ પોતોની સરકારને અસ્થિર થવા નહીં દે. તેમણે કીધું હતું કે, રાજ્યમાં ચૂંટણી 2021માં યોજાશે.
ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે થઇ રહી છે ચકમક
ઉલ્લેખનીય છે કે, બશીરહાટમાં ઝંડો લહેરાવવાની બાબતમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા અને હિંસામાં ભાજપના 5 અને ટીએમસીના 3 નેતાઓની હત્યા થઈ છે. તો ગઈ કાલે ભાજપે હત્યા થયેલી નેતાઓની સ્મશાન યાત્રા નીકાળી ત્યારે પણ પોલીસે સ્મશાન યાત્રાને રોકી હતી. ત્યારે હવે ભાજપ આજે કાળો દિવસ ઉજવશે.
બંગાળમાં ચાલુ રાજકારણ સંધર્ષ અને હત્યાઓ પર કેન્દ્ર સરકારે ગાઢ ચિંતા વ્યક્ત કરી છે. મમતા સરકારને જારી એડવાઇઝરીમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે ચૂંટણી બાદ પણ ચાલુ હિંસાઓ રાજ્ય સરકારની નિષ્ફળતા દેખાડે છે.