આ પહેલા પ.બંગાળના બાંકુરામાં એક રેલી દરમિયાન મોદીએ મમતા બેનર્જી સરકાર અને તૃણમૂલ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
પોતાની રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે તમામ સારી રીતથી જાણો છો કે કોલસા ખાણમાં તૃણમૂલનું માફિયા રાજ વધી રહ્યું છે. તૃણમૂલના નેતા પૈસા કમાઇ રહ્યા છે અને સામાન્ય ખોદકામ મજૂરો પોતાના વેતનથી વંચિત છે. ત્યારબાદ પુરૂલિયામાં એક સભામાં મોદીએ કહ્યું હતું કે લોકોએ લોકતંત્ર માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો, તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.
તેમણે કહ્યું કે, પુરૂલિયા પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે. તમે લોકો કાળા સોના પર બેઠા છો. અત્યાર સુધી તમામ સરકારોએ માફિયાને પોતાની ગતિવિધિઓનો ભાગ બનવા દીધો છે. તેમણે કહ્યું કે જ્યારે કોઇ રાજકિય પાર્ટી ઘુષણખોરો, માફિયાઓ, ગુંડાઓ અને બદમાશો માટે રાજનીતિ કરે છે ત્યારે તેઓ તે આદિવાસીઓ માટે પોતાની જવાબદારીનો અહેસાસ નથી થતો. આ પ.બંગાળમાં થઇ રહ્યું છે. જ્યારે પણ મોદી અરાજકતા પર બોલે છે, દીદી નારાજ થઇ જાય છે.
West Bengal CM Mamata Banerjee in Bankura: I challenge you (PM Modi) if you can prove your allegations that one of us is part of coal mafia, I will withdraw all my 42 candidates. If you are lying, you have to hold your ears and do a hundred sit ups before public. pic.twitter.com/mBQT59MP4J
— ANI (@ANI) May 9, 2019