કહેવાય છે કે જર જોરૂ અને જમીન કજિયાના છોરું, આ બધા માટે વિશ્વમાં ઘણા યુદ્ધો થઇ ચુક્યા છે, આવુ જ કંઈક વીરપુરમાં બન્યું જ્યાં એક મામા એ તેના ભાણેજની હત્યા કરી નાખી. કારણ હતું ભાણેજના મામી સાથેના પ્રેમ સબંધ શું છે ઘટના કેવી રીતે કરી મામા એ ભાણેજની હત્યા...
હત્યાનો ભેદ ઉકેલાયો
આડા સંબંધમાં બધુ બરબાદ
અનૈતિક સંબંધોનો આવ્યો કરૂણ અંત
વિરપુરના કોરાળી ગામના એક કુવામાંથી લાશ મળી આવી હતી. બે દિવસ પહેલા સામે આવેલ આ ઘટનાને કારણે પોલીસ દોડી આવી હતી. શરૂઆતમાં તપાસ કરતી પોલીસે અકસ્માતે મોતનો મામલો નોંધીને તપાસ તેજ કરી હતી.
કોણ છે મૃતક ?
યુવકની લાશ મળી આવી હતી. આ યુવકનો આખો પરિવાર અહીં ખેતરમાં કામ કરતો હતો. કેરાળી ગામના વજુભાઇ ભીખાભાઇ બાલધાની વાડીમાં આ પરિવાર કામ કરતો હતો. મૃતકનું નામ નિલેશ રણછોડ વસાવા અને તેની પત્ની અને બે સંતાન આ ખેતરમાં રહેતા હતા. વજુભાઈ બાલધાનું ભાગ્યું રાખતા હતા. સમગ્ર મામલે નિલેશની પત્ની કૈલાસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિરપુર પોલીસે પુરા મામલે તપાસ તેજ કરી હતી. લાશને પી.એમ માટે મોકલી આપી હતી.
કોલ ડીટેઈલના આધારે સત્ય સામે આવ્યું
નિલેશ રણછોડભાઈ વસાવા તારીખ 27 નવેમ્બરના રોજ ઘરેથી ગૂમ થયા બાદ તેની હત્યા થયેલ લાશ નજીક આવેલ ખેતરના કૂવામાંથી મળી આવી હતી. વીરપુર પોલીસે નિલેશના મોબાઈલ નંબરની કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર ઉપરના કોલ અને લોકેશન વગેરેને લઈને વીરપુર પોલીસે વધુ ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળ્યું હતું. જે મુજબ તપાસ કરતા આ નંબર તેની બાજુની વાડીમાં કામ કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાની પત્નીના હતા, જ્યારે આ બાબતે વીરપુર પોલીસે વધુ કડક અને ઊંડી તપાસ કરતા, હત્યાનો સમગ્ર મામલો બહાર આવ્યો છે.
નિલેશ અને વૈશાલી બન્ને પ્રેમ કરતા હતા
આ માણસે તેના ભાણેજની હત્યા કરી છે. થોડા દિવસ પહેલા વિનુને જાણ થઈ કે તેની પત્ની તેના ભાણેજ સાથે પ્રેમ કરે છે. નિલેશ અને વૈશાલી બન્ને પ્રેમ કરતા હતા. આમ તો સંબંધમાં મામી ભાણેજ થતા હતા. પરંતુ જ્યારે સમય મળે ત્યાં રાતો રંગીન કરતા. જ્યારે આ વાતની ખબર વિનુને થઈ ત્યારે તેણે તેના ભાણેજને પતાવી દેવાનો કારસો ઘડ્યો હતો.
મામા ભાણેજે પહેલા મહેફિલ કરી
બાદમાં મામાએ ભાણેજને કૂવામાં ધક્કો મારી કર્યું મર્ડર
મામા વિનુને ખબર પડી કે તેના ભાણેજને તેની પત્ની અને મામી સાથે પ્રેમ સબંધ છે. ત્યારે મામા એ ભાણેજ નિલેશને મારવા માટે તે જ્યાં રહેતા હતા ત્યાં નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાની વાળી એ બોલાવ્યો અને ત્યાં તેની સાથે દારૂ પીધો અને નિલેશ ને ખુબજ દારૂ પીને દારૂના નશામાં ચૂર કરી દીધો. દારૂના નશામાં ચૂર નિલેશ જ્યારે ભાન ભૂલી ગયો અને ચાલવાની પણ હોશના હતી. ત્યારે મામાએ પોતાનું કંસનું રૂપ દેખાડીને ભાણેજને ખેતરમાં આવેલ કૂવામાં ધક્કો માર્યો હતો, જેને લઇને નિલેશ કૂવામાં પડીને મૃત્યુ પામ્યો હતો.
ના રહ્યા મામા, ના રહ્યો ભાણેજ
આજની ઘટનામાં મામાને જેલ થઈ છે. જ્યારે ભાણેજ સ્વધામ પહોંચી ગયો છે. નિલેશને બે સંતાન અનાથ થયા છે. જ્યારે વિનુ જેલમાં જતા સંસાર બરબાદ થયો છે. આડા સંબંધમાં આવુ જ થાય છે. આ ખેતર મજૂરની કહાની નથી. પરંતુ સંસારમાં જે લોકો આડા સંબંધમાં અંધ બની જાય તેવા લોકાોની આ કહાની છે.