સુરતમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. શહેરના જહાગીરપુરા વિસ્તારમાં એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા તો તેના મામાને માઠું લાગી આવ્યું અને તેમણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો
ભાણીએ પ્રેમલગ્ન કર્યા તો મામાને માઠું લાગી આવ્યું
મામાને માઠું લાગી આવતા કરી આત્મહત્યા
ગળેફાંસો ખાઈને કર્યું મોતને વ્હાલું
સુરતમાં અવારનવાર આપઘાતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુમાં ફરી એકવાર જહાંગીરપુરા વિસ્તારમાં એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જે અંગે તમે જાણશો તો તમે પણ વિચારમાં મુકાઈ જશો. અહીયા એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જે વાત તેના મામાને પસંદ ન આવી તો તેણે ન કરાવાનું કરી નાખ્યું.
પ્રેમલગ્ન માટે મામા રાજી ન હતા
જે દિવસે ભાણીએ લગ્ન કર્યા તે દિવસે પણ તેના મામા રાજી ન હતા. જેથી તેમણે આત્મહત્યા કરી લીધી. ભાણીએ પ્રેમ લગ્ન કરી લેતા મામાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેથી આ બનાવને લઇને હવે ચકચાર મચી જવા પામી છે.
રિતીરિવાજ પ્રમાણે યુવતીએ લગ્ન કર્યા હતા
મૃતકની મોટી બહેનની દિકરીને એક યુવક સાથે પ્રેમ હતો જેથી તેણે ઘરે વાત કરી અને બાદમાં તેમણે ઈચ્છાપોર ખાતે રિતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્નના દિવસે મૃતકની બહેને તેમને લગ્નમાં આવવા માટે પણ કહ્યું હતું, પરંતુ મામાને ખોટું લાગી આવ્યું હતું જેથી તે લગ્નમાં ન ગયા અને ઘરેજ રહ્યા હતા.
ગળેફાંસો ખાઈને મામાએ કર્યું મોતને વ્હાલું
બપોરના સમયે જ્યારે મૃતકના પિતા ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે મૃતકે તો ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યા પહોચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભાણીએ પ્રેમલગ્ન કર્યા હતા તે વાતનું મામાને ખોટું લાગી આવ્યું હતું. જેથી તેણે આપઘાત કરી લીઘો