મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યા બાદ કેટલાક દુષણ પણ વધવા લાગ્યા છે. ખાસ કરીને સગીર વયના યુવક-યુવતીઓમાં મોબાઇલનું વધતું ચલણ ઘાતક સાબિત થઇ રહ્યું છે. ત્યારે આવો જ એક હ્રદયના ધબકાર ચૂકવતો એક કિસ્સો તાજેતરમાં અરવલ્લીના માલપુરમાં બન્યો હતો.
અરવલ્લીના સગીર અને સગીરા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ
સમાજ નહીં સ્વીકારે એમ માનીને કરી આત્મહત્યા
સમગ્ર પંથકમાં ઘટનાએ મચાવી ચકચાર
પ્રેમ-સંબંધમાં બંધાયેલા માલપુરના સગીર યુવક-યુવતી આજીવન એકસાથે રહેવાનો કોલ આપીને ઘરેથી ભાગી નીકળ્યા અને ત્યારબાદ મંદિરના એક ઝાડ પર મૃત હાલતમાં મળી આવતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સગીર અને સગીરા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ
ઘટના જાણે એમ બની હતી કે, અરવલ્લી જિલ્લાના માલપુર ગામના એક 17 વર્ષીય યુવકને ગામની એક 15 વર્ષની યુવતી સાથે આંખ મળી જતાં કાયમ સાથે રહેવાના કોલ આપ્યા.
સમાજ નહીં સ્વીકારે એમ માનીને કરી આત્મહત્યા
જો કે, સમાજ તેમનો પ્રેમ નહીં સ્વીકારે તેમ માનીને રવિવારે ઘરેથી ભાગી નીકળ્યા હતા. જો કે, સગીર યુવક-યુવતીને ભાગ્યા બાદ એવો અહેસાસ થયો કે, સમાજ સાથે રહેવા નહીં દે અને સરવાળે જીવી ન શકાય તો કાંઇ નહીં બંન્નેએ સજોડે માલપુર નજીક આવેલા ગેલી માતાના મંદિરના ડુંગર પર ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર પંથકમાં હાહાકાર
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. જો કે, આ મામલા અંગેની જાણ થતાં જ બંન્નેના પરિવારજનો તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.