હિંદુ ધર્મમાં કોઈ શુભ કાર્ય કરતા પહેલા શુભ ગ્રહ અને નક્ષત્ર જોવાની પરંપરા હોય છે. 14 માર્ચ પછી કોઈ શુભ કાર્ય થઇ શકશે નહી કારણ કે 14 માર્ચથી મલનો મહિનો શરૂ થઇ રહ્યો છે. જ્યોતિષના ચોપડા પ્રમાણે જો તમે લગ્ન અથવા ઘરમાં કોઈ પણ શુભ કામ કરવા જઈ રહ્યા છો તો 14 માર્ચ પહેલા કરો કારણ કે શાસ્ત્રમાં જયારે મલ મહિનો શરૂ થાય ત્યારે કોઈ શુભ કાર્ય કરી શકાતું નથી.
સૂર્ય જયારે ગુરૂની ધન અને મીન રાશિમાં આવે છે ત્યારે મલ મહિનો કહેવામાં આવે છે. બધા શુભ કાર્યો સૂર્ય અને ગુરની શુભ સ્થિતિમાં જરૂરી હોય છે. જેમ કે લગ્ન કરવા વરને સૂર્યનો પ્રભાવ અને કન્યાનો ગુરૂ બળવાન હોય ત્યારે લગ્નનું શુભ મુહૂર્ત આવતું હોય છે.
14 માર્ચ પછી સૂર્ય મીન રાશિમાં જવાની અને ગુરૂના બળ ઘટવાની શરૂઆત થાય છે. તેથી જ્યાં સુધી સૂર્ય પરાકાષ્ઠામાં આગળ ન વધે ત્યાં સુધી કોઈ શુભ કાર્ય થઇ શકાશે નહી. શાસ્ત્રો અનુસાર મલ મહિનાને સારો ગણવામાં આવતો નથી 14 માર્ચ 2018ના રોજ રાત્રે 11 વાગ્યે અને 42 મિનિટથી સૂર્ય કુંભ રાશિ માંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તેની સાથે મલ મહિનાની શરૂઆત થશે અને 14 એપ્રિલ 2018ના રોજ સમાપ્ત થશે તેના પછી શુભ કાર્યોની શરૂઆત થઇ શકશે.