મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની બાગડોર સંભાળી છે. અધ્યક્ષ પદ પર ખડગેની તાજપોશી બાદ સોનિયા ગાંધીએ તેમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, હું મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બનવાથી રાહત અનુભવું છું.
કોંગ્રેસ પાર્ટીમાં નવા યુગની શરૂઆત
24 વર્ષ બાદ પાર્ટીને મળ્યા બિન-ગાંધી અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ સંભાળી કોંગ્રેસની કમાન
કોંગ્રેસ પાર્ટીમાં નવા યુગની શરૂઆત થઈ છે. કોંગ્રેસ પાર્ટીને 24 વર્ષ બાદ બિન-ગાંધી અધ્યક્ષ મળ્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી અધ્યક્ષની ચૂંટણીમાં પાર્ટીના બૉસ તરીકે ચૂંટાયેલા મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે. મલ્લિકાર્જુન ખડગેની તાજપોશી માટે કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં પાર્ટીના લાંબા સમય સુધી અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
સોનિયા ગાંધીએ કાર્યકરોનો માન્યો આભાર
મલ્લિકાર્જુન ખડગેને ઔપચારિક રીતે કોંગ્રેસની કમાન સોંપ્યા પછી સોનિયા ગાંધીએ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પાર્ટી સામે હાજર પડકારો અંગે ચર્ચા કરી અને નવા અધ્યક્ષને અભિનંદન પણ પાઠવ્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે, હું મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બનવાથી રાહત અનુભવું છું. સોનિયા ગાંધીએ સહકાર અને સમર્થન માટે કોંગ્રેસના કાર્યકરોનો આભાર પણ માન્યો હતો.
आज निवर्तमान कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी जी और श्री @RahulGandhi जी एवं वरिष्ठ नेताओं की मौजूदगी में भारतीय राष्ट्रीय कांग्रेस के नव-निर्वाचित अध्यक्ष श्री @kharge को CEA के चेयरमैन श्री मधुसूदन मिस्त्री जी ने प्रमाण पत्र प्रदान किया।#CongressPresidentKhargepic.twitter.com/TnRLXhGtaS
પાર્ટી સામેના પડકારોનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સુધારણા માટે પૂરી ક્ષમતા સાથે કામ કર્યું. તમારા તરફથી મને મળેલા સમર્થન માટે હું આભારી રહીશ. સોનિયા ગાંધીએ ભૂતકાળનો અને પાર્ટીની સામે હાજર પડકારોનો પણ ઉલ્લેખ કર્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે પાર્ટીની સામે દેશના લોકતંત્રને લઈને અનેક પડકારો છે. તેમણે કહ્યું કે, આપણે આ પડકારોમાંથી સફળતાપૂર્વક બહાર નિકળવાનો રસ્તો શોધવો પડશે.
मैं हमारे नए अध्यक्ष @kharge जी को हृदय से बधाई देती हूँ।
જવાબદારીઓમાંથી મુક્ત થઈને અનુભવું છું રાહતઃ સોનિયા
સોનિયા ગાંધીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસ પાર્ટીની સામે ઘણા પડકારો આવ્યા અને પાર્ટી તેમાંથી સફળતાપૂર્વક બહાર આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ પદની સાથે જ હું જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગઈ છું. સોનિયા ગાંધીએ કહ્યું કે, જવાબદારીઓથી મુક્ત થઈને આજે હું ઘણી રાહત અનુભવી રહી છું.
મલ્લિકાર્જુન ખડગેને પાઠવી શુભકામનાઓ
મલ્લિકાર્જુન ખડગેને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું કે મને ખાતરી છે કે, તમારા નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી એકજુટ થઈને પડકારોનો સામનો કરશે. સોનિયા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેના વ્યક્તિત્વની પ્રશંસા કરી અને સાથે જ તેમની નેતૃત્વ ક્ષમતાની પણ પ્રશંસા કરી.
ખડગેએ કહ્યું- રાહત નહીં મળે
સોનિયા ગાંધીએ કાર્યક્રમને સંબોધિત કરતા જ્યારે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બન્યા બાદ આજે હું જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગઈ છું. ખૂબ જ રાહત અનુભવી રહી છું. ત્યારે સ્ટેજ પર બેઠેલા મલ્લિકાર્જુન ખડગેએ પણ પાછળથી કહ્યું તેમને રાહત નહીં મળે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મંચ પર હાજર હતા.