મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ પાર્ટીના કેટલાક નેતાઓ પર કોંગ્રેસને અંદરથી નબળી બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણીમાં હાર માટે પાર્ટી હાઈકમાનને નિશાનો બનાવી રહેલા નેતાઓની ટીકા કરતા ખડગેએ ગુરુવારે એક જૂથ થવાની અપીલ કરી છે. તેમણે અન્ય પાર્ટી નેતાઓને હાઈ કમાનને સપોર્ટ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આપણે એક થઈને ચૂંટણી લડવી જોઈએ. એ દુઃખ છે કે કેટલાક વરિષ્ઠ નેતા ટોપ લીડરશીપની વિરુદ્ધ બોલી રહ્યા છે. આ વાતો ખડગેએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતી પર રાખવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન કરી હતી.
ખડગેએ નેતાઓને હાઈ કમાનને સપોર્ટ કરવાની માંગ કરી
ખડગેએ ગુરુવારે એક જૂથ થવાની અપીલ કરી છે
જો આપણી વિચારધારા નબળી હશે તો આપણે નષ્ટ થઈ જઈશું-ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણી પાર્ટી અને નેતાઓને આ રીતે નબળા બનાવશો તો આપણે આગળ નહીં આવી શકીએ. જો આપણી વિચારધારા નબળી હશે તો આપણે નષ્ટ થઈ જઈશું. આ વાત ધ્યાનમાં રાખવી પડશે. ખડગેનું આ સ્ટેટમેન્ટ બિહાર ચૂંટણીમાં હાર બાદ કેટલાક નેતાઓના નિવેદન બાદ આવ્યુ છે.
વરિષ્ઠ પાર્ટી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એક અંગ્રેજી અખબરને ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતુ કે એવું લાગે છે કે પાર્ટી નેતૃત્વએ કદાચ દરેક ચૂંટણીમાં થી રહેલી હારને પોતાનું નસીબ માની લીધું છે. તેમણે કહ્યું કે પેટા ચૂંટણીના પરિણામોથી એવું લાગે છે કે દેશમાં લોકો કોંગ્રેસ પાર્ટીને અસરકારક વિકલ્પ નથી માની રહ્યા.
સિબ્બલના નિવેદન બાદ કોંગ્રેસી નેતાઓએ તમની ટીકા કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પાર્ટીના આંતરિક મુદ્દાઓનો ઉલ્લેખ મીડિયામાં કરવા પર ટીકા કરી હતી. તેણે કહ્યું કે સિબ્બલને આ પાર્ટીના આંતરિક મુદ્દાઓનો ઉલ્લેખ મીડિયામાં કરવાની કોઈ જરુર નથી. આનાથી પાર્ટી કાર્યકર્તાઓની ભાવના દુભાય છે. ગહેલોતે આને લઈને ટ્વીટ કર્યુ હતુ.