મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર કરેલ ટિપ્પણી મામલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, કોંગ્રેસે આવી 91 વખત ટિપ્પણી કરી છે.તેમજ નહેરૂ પરિવારે સત્તા ગુમાવ્યા પછી આવું કરે છે. તેમજ PM મોદી દેશ અને દુનિયાના મોટા નેતા છે.
કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા PM મોદી પર ટિપ્પણીનો મામલો
કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વડાપ્રધાન મોદી પર ટિપ્પણી મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી છે. કોંગ્રેસે 91 વખત આવી ટિપ્પણી કરી છે. કોંગ્રેસ અને નહેરૂ પરિવારે સત્તા ગુમાવ્યા પછી આવું કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહ્યા છે. નાલાયક અને રાહુલે વડાપ્રધાનને ચોર જેવા શબ્દો કહ્યા છે. સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને મોતના સોદાગર કહ્યા છે. શૈખ હુસૈને વડાપ્રધાન મોદીને કૂતરાની જેમ મારી નાંખવા કહ્યું. કોંગ્રેસને કર્ણાટકમાં હાર દેખાય છે તેથી ગાલીગલોચ કરે છે. ત્યારે તમામ લોકોને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે. વડાપ્રધાન મોદી દેશ અને દુનિયાના મોટા નેતા છે.
કોંગ્રેસ જ્યારે સત્તાથી દૂર હોય છે ત્યારે આવા શબ્દોનો પ્રયોગ કરે છેઃ સી.આર.પાટીલ
આ બાબતે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં વડાપ્રધાન માટે અભદ્ર ટિપ્પણી કરી છે. એમણે કહ્યું કે મોદી એક ઝેરી સાપ છે. જેનાં કરડવાથી મૃત્યું થઈ શકે છે. કોંગ્રેસ જ્યારે સત્તાથી દૂર હોય છે. જ્યારે કોંગ્રેસને દિવાલ પર હાર દેખાય છે. ત્યારે આવા શબ્દોનો પ્રયોગ કરે છે. ત્યારે ઈન્દિરાજીનું પણ પ્રકરણ અમારી સામે છે. જ્યારે તે હારી ગયા હતા. અને સત્તાથી દૂર થઈ ગયા હતા. ત્યારે કટોકટી લગાવીને પણ તેઓ સત્તામાં આવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું દેશનાં લોકોએ તેમને જવાબ આપી દીધો હતો.