જવાબ આપ્યો- પહેલા અધ્યક્ષ પદની ચૂંટણી તો પતી જવા દો
કહી કહેવત- બકરીદમાં બચ્યાં તો મોહરમમાં નાચીશુંને
કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે બુધવારે ભોપાલમાં આવ્યાં હતા. અહીં પત્રકારોએ તેમને
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે પૂછવામાં આવતાં એક કહેવત કહી કે બકરીદમાં બચ્યાં તો મોહરમમાં નાચીશું'. તેમના કહેવાનો અર્થ એવો હતો કે પહેલા શાંતિથી અધ્યક્ષ પદની ચૂંટણી તો પતી જવા દો પછી પીએમ પદના ઉમેદવારની વાત. ખડગેએ કહ્યું કે પહેલા આ (કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી) આંતરિક ચૂંટણીનું સમાધાન થવું જોઈએ. આ પછી, તેમણે કહ્યું કે અમારી એક કહેવત છે - જો અમે બકરીદમાં બચ્યાં તો મોહરમમાં નાચીશુંને
#WATCH| Bhopal, MP | There is a saying "Bakrid mein bachenge toh Muharram mein nachenge". First, let these elections get over and let me become president, then we'll see: Congress presidential candidate Mallikarjun Kharge when asked who would be the PM's face, Rahul Gandhi or he. pic.twitter.com/wvtCPqDlIH
મુસ્લિમોનું મોટું અપમાન- ભાજપ
ખડગેના આ નિવેદન પર રાજનીતિ શરુ થઈ છે. ભાજપે તેમના પર મુસ્લિમોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, "કોંગ્રેસ પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રથમ પ્રોક્સી પ્રમુખ ઉમેદવારને પૂછવામાં આવ્યું હતું કે 2024 માં કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર કોણ હશે. આના પર તેમણે જવાબ આપ્યો, બકરીદમાં બચ્યાં તો મોહરમમાં નાચીશુંને. પૂનાવાલાએ કહ્યું કે આ મુસ્લિમોનું મોટું અપમાન છે.