કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી. ઇન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપી દીધો, તમે શું કર્યું? ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, તમારા ઘરમાં તો શું કોઈ કૂતરો દેશ માટે મર્યો છે? શું કોઈએ કોઈ બલિદાન આપ્યું છે?
#WATCH हमने देश को आज़ादी दिलाई और देश की एकता के लिए इंदिरा और राजीव गांधी ने अपनी जान की क़ुर्बानी दी। हमारे पार्टी के नेताओं ने अपनी जान दी, आपने क्या किया? आपके घर में कोई देश के लिए कुत्ता तक मरा है? क्या(किसी ने) कोई क़ुर्बानी दी है? नहीं:कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे pic.twitter.com/faoHQMGZM0
રાજસ્થાનના અલવરમાં આપ્યું નિવેદન
રાજસ્થાનના અલવરમાં ભારત જોડો યાત્રા દરમિયાન એક જનસભામાં ખડગે આવું બોલ્યાં હતા. તેમણે કહ્યું કે અમારી પાર્ટીના નેતાઓએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ લોકોએ કશું જ કર્યું નથી. તેમ છતાં આજે તેઓ સૌથી મોટા દેશભક્ત છે. "અમારા પક્ષના માણસોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હોવા છતાં, જો આપણે કંઈ પણ કહીએ, તો અમને રાષ્ટ્રવિરોધી તરીકે ઓળખવામાં આવે છે. ખડગેએ દેશમાં લોકતંત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
સરકાર ચીન મામલે ચર્ચાથી ભાગી રહી છે-ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ ચીન સાથેની વર્તમાન સ્થિતિ અંગે સરકારને સવાલ કર્યા હતા. અમે ચીનની આક્રમકતા પર ચર્ચા ઈચ્છીએ છીએ, પરંતુ સરકાર તેના માટે તૈયાર નથી. ખડગેએ કહ્યું કે તે બહાર સિંહની જેમ વાત કરે છે પરંતુ વાસ્તવમાં તે ઉંદર જેવું કામ કરે છે, સરકાર માહિતી છુપાવી રહી છે.