મોરબીમાં માળીયા-મિયાણાના સુરજબારી પુલ નજીક બસ પલટી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી. આ બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે.
માળીયા-મિયાણાના સુરાજબારી પુલ નજીક બસ પલટી
બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા
કચ્છથી મોરબી તરફ જતી બસ પલટી જતા દુર્ઘટના
આ ખાનગી બસ કચ્છથી મોરબી તરફ જઇ રહી હતી. આ દરમિયાન માળીયા-મિયાણાના સુરજબારી પુલ નજીક બસ પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતી. જોકે આ અકસ્માતનું કારણ હજુ સામે આવ્યું નથી. અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે. જે ઇજાગ્રસ્તોને સારવાર માટે માળીયા હોસ્પિટલ ખસેડાયા હતા.
સુરજબારી પુલ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો આ બસ રોડની વચ્ચોવચ પલટી હતી. જેને લઇને રોડ પરથી પસાર થતા વાહનોને મુશ્કેલી પડી હતી.
જોકે સમગ્ર ઘટનાના પગલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત સર્જાવા અંગે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી.