ભારત અને માલદીવમાં હંમેશા સારા પાડોશી સંબંધો રહ્યા છે. પણ છેલ્લા થોડાક વર્ષોમાં ચીનની વધતી ગતિવિધિઓના કારણે રણનીતિના ભાગે રૂપે ભારતથી માલદીવ દૂર થતું જાય છે.
ચીનની દરમિયાનગીરીથી માલદીવ દૂર થતું જાય છે
પાડોશી સંબંધો વધારે મજબૂત કરવાની ફિરાકમાં છે માલદીવ
ભારત સાથેના સંબંધો આ કાયદાથી વધારે મજબૂત બનશે
ભારત અને માલદીવમાં હંમેશા સારા પાડોશી સંબંધો રહ્યા છે. પણ છેલ્લા થોડાક વર્ષોમાં ચીનની વધતી ગતિવિધિઓના કારણે રણનીતિના ભાગે રૂપે ભારતથી માલદીવ દૂર થતું જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર માલદીવના કેટલાય વીડિયો સામે આવ્યા છે. જેમાં લોકો ઈંડિયા આઉટનું ટી શર્ટ પહેરીને ભારત સરકાર વિરુદ્ધ વિરોધ જતાવી રહ્યા છે. પણ હવે આવા પ્રદર્શનને રોકવા માટે સત્તાધારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ મોટી એક્શન લીધી છે.
માલદીવમાં ચીન સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન તરફથી ભારતની વિરુદ્ધ ચલાવી રહેલા ઝેરીલા ઈંડિયા આઉટ અભિયાનને માલદીવ સરકાર ગેરકાનૂની જાહેર કરતા નવું બિલ લઈને આવી રહ્યું છે. આવા કરીને માલદીવ એક સંતુલિત વિદેશ નીતિને અપનાવી રહ્યું છે. જે બાકીના દેશો સાથે તેના મજબૂત સંબંધોમાં કારગર નિવડશે.
20,000 માલદીવિયન રુફિયાનો લાગશે દંડ઼
નવા બિલમાં ભારત વિરોધી નારા લગાવતા લોકો પર 20,000 માલદીવિયન રૂફિયાનો દંડ વસૂલવામાં આવશે. તેની સાથે જ 6 મહિનાની જેલ અથવા તો 1 વર્ષ માટે નજરકેદ કરવામાં આવશે. માલદીવમાં પત્રકાર અહમદ અજાને ટ્વિટ કરતા આ વિશે જાણકારી આપી છે. તેણે લખ્યું છે કે, માલદીવ સરકારે ઈન્ડિયા આઉટના નારાનો ઉપયોગને ગુનો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. સત્તાધારી પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા બિલ મુજબ આ અભિયાનમાં ભાગ લેનારાને 6 મહિનાની જેલ થઈ શકે છે.
હકીકતમાં જેલથી છૂટ્યા બાદ અબ્દુલા યામીનના ઈંડિયા આઉટ કેમ્પેઈનમાં વધારે ઝડપી છે. પૂર્વ રાષ્ટ્રપતિએ ભારત પર દેશની આંતરિક રાજનીતિમાં દખલ દેવા અને માલદીવની હાલની સરકાર પર ભારત સાથે મીલિભગત કરવાનો આરોપ લગાવ્યો છે.
માલદીવ શા માટે છે ભારતથી નારાજ
હકીકતમાં માલદીવના લોકો ત્યાં રહેલા ભારતીય સૈનિક અને હથિયારોને પોતાના દેશમાંથી હાંકી કાઢવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેની શરૂઆત 2018માં થઈ હતી. આ પહેલી વાર નથી, જ્યારે માલદીવમાં ભારતીય સેના અને ભારત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા છે. આવો વિરોધ વર્ષ 2012માં પણ થયો હતો. જે બાદ ભારતીય એરપોર્ટ ઓેપરેટર જીએમઆરને તે વર્ષ માલદીવ છોડીને પાછા આવી જવું પડ્યું હતું.
તો વળી માલદીવની હાલની સરકાર પોતાને ત્યાં થઈ રહેલા ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શનથી ચિંતિત છે. 19 ડિસેમ્બરે ત્યાંના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું હતું કે, ભારત વિરુદ્ધ ફેલાવામાં આવી રહેલા જૂઠ અને નફરતને લઈને માલદીવ સરકાર ચિંતિત છે. ભારત આપણો સૌથી નજીકને દ્વિપક્ષીય ભાગીદાર છે. પણ અમુક સમૂહ અને નેતા સંબંધોને ખરાબ કરવા માટે ચાલ ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે, આ તમામની વચ્ચે માલદીવમાં ચીનની દખલગીરી પણ વધી રહી છે.