બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / વિશ્વ / માલદીવની શાન ઠેકાણે પડી! સંબંધ સુધારવા રાષ્ટ્રપતિ મુઈજ્જુ દિલ્હી દોડી આવ્યા, જુઓ વીડિયો

તેવર નરમ પડ્યા ! / માલદીવની શાન ઠેકાણે પડી! સંબંધ સુધારવા રાષ્ટ્રપતિ મુઈજ્જુ દિલ્હી દોડી આવ્યા, જુઓ વીડિયો

Last Updated: 07:51 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન સાથે નજીકના સંબંધો રાખતા મુઇજ્જુને હવે ભારતની તાકાતનો અહેસાસ થઇ ચૂક્યો છે, ખાસ કરીને તો આ અહેસાસ ત્યારે થયો જ્યારે ભારતીય પ્રવાસીઓએ માલદીવ તરફથી મોં ફેરી લીધું અને ટાપુ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ બગડવા લાગી.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ રવિવારે નવી દિલ્હી પહોંચી ગયા. ગયા વર્ષે મુઇજ્જુએ રાષ્ટ્રપતિ પદના ચૂંટણી દરમ્યાન 'ઈન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો, જેના કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. સત્તામાં આવ્યા પછી, મુઇજ્જુએ ભારતીય સેના ને પણ માલદીવથી પરત મોકલી આપી હતી. જો કે ચીન સાથે નજીકના સંબંધો રાખતા મુઇજ્જુને હવે ભારતની તાકાતનો અહેસાસ થઇ ચૂક્યો છે, ખાસ કરીને તો આ અહેસાસ ત્યારે થયો જ્યારે ભારતીય પ્રવાસીઓએ માલદીવ તરફથી મોં ફેરી લીધું અને ટાપુ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ બગડવા લાગી. હવે માલદીવે ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

6 થી 10 ઑક્ટોબર સુધી ભારતની મુલાકાતે

મોહમ્મદ મુઇજ્જુ સાથે માલદીવની ફર્સ્ટ લેડી સાજિદા મોહમ્મદ પણ નવી દિલ્હી પહોંચ્યા છે. મુઇજ્જુની ભારત સાથે આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. આ દરમિયાન તેમની મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અન્ય ઘણા લોકો સાથે થશે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સત્તાવાર આમંત્રણ પર મુઇજ્જુ 6 થી 10 ઑક્ટોબર સુધી ભારતની મુલાકાત પર આવ્યા છે. તાજેતરમાં ન્યુ યોર્કમાં 79મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) દરમિયાન, મુઇજ્જુએ એએનઆઈ સાથે કહ્યું કે તેઓ જલદી ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે બન્ને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની પણ પ્રશંસા કરી હતી.

મોહમ્મદ મુઇજ્જુએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું હતું, "હું જલદી (ભારત) પ્રવાસની યોજના બનાવી રહ્યો છું...અમારા વચ્ચે બહુ મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે." આ વર્ષે મુઇજ્જુનો ભારત પ્રવાસ બીજી વખત છે, આ પહેલા તેઓ જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. નોંધનીય છે કે પહેલા પરંપરા મુજબ, માલદીવના લગભગ દરેક રાષ્ટ્રપતિ પોતાની પહેલી વિદેશ મુલાકાત ભારતમાંથી જ કરતા હતા, પરંતુ મુઇજ્જુએ પદભાર સંભાળ્યા પછી પહેલા તુર્કી અને પછી ચીનની મુલાકાત લઈને આ પરંપરા બદલી દીધી હતી. જેના કારણે ભારત અને માલદીવના સંબંધો બગડ્યા હતા. સત્તામાં આવ્યા પછી મુઇજ્જુ સરકારના કેટલાક પગલાં એવા રહ્યાં છે, જે ભારત-માલદીવ સંબંધો માટે અનોખા રહ્યા છે.

નવેમ્બરથી તંગ ચાલી રહેલા સંબંધોને ફરીથી સુધારવાનો હેતું

સંબંધો ફરીથી સુધારવાનો છે હેતુ: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની ભારત મુલાકાતનો હેતુ નવેમ્બરથી તંગ ચાલી રહેલા સંબંધોને ફરીથી સુધારવાનો છે. ચીન તરફ ઝુકાવ ધરાવનારા મુઇજ્જુએ નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવ સર્જાયો. મુઇજ્જુએ શપથ લીધા પછી થોડા કલાકોમાં જ પોતાના દેશમાંથી ભારતીય સૈનિકોને પરત ફરવાની માગણી કરી હતી. ત્યારબાદ ભારતીય સૈનિકોની જગ્યાએ નાગરિકોને મુકવામાં આવ્યા. બીજી તરફ જ્યારે મુઇજ્જુ ચીન ગયા હતા, ત્યારે તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પ્રવાસન સહિત 20 સમજૂતીઓ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદીને લઈને વિવાદીત નિવેદનો આપ્યા હતા, જેના કારણે સંબંધો વધુ બગડ્યા હતા. જોકે, મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને મુઇજ્જુએ સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો.

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meeting With PM Modi Mohammed Muizzu India Visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ