માલદીવ દુનિયાભરના બેસ્ટ હનીમૂન ડેસ્ટીનેશન માંથી એક છે. કોરોનાની બીજી લહેર આવતા માલદીવની સરહદોને પર્યટકો માટે બંદ કરવામાં આવ્યુ હતું.
15 જુલાઈથી ખુલશે માલદીવ
RT-PCR નેગેટીવ રીપોર્ટ બતાવવો ફરજીયાત
કોરોનોમાં માલદીવની ઇકોનોમીને ભારી નુકસાન
માલદીવ સરકારે નિર્ણય લીધો છે કે, દક્ષીણ એશિયાના દેશો માટે માલદીવની સરહદો 15 જુલાઈથી ખુલશે. રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહે આ બાબત પર કહ્યુ કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 1 થી 15 જુલાઈ સુધી સરકાર પરિસ્થિતિની ચકાસણી કરશે.
હોટેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન
કોરોનાના લીધે દુનિયાભરના ટુરિઝમ ડેસ્ટીનેશન બંદ થઇ ગયા છે. જેનાથી હોટેલ, ટુરિઝમ અને એવિએશન ઇન્ડસ્ટ્રીને અઢળક નુકસાન પણ થયું છે. ભારતીયો લાંબા સમયથી વિદેશયાત્રાની રાહ જોઈ રહ્યા છે તેવામાં માલદીવ સરકારનો આ નિર્ણય ચોક્કસથી માલદીવ ટુરિઝમને ફાયદો કરાવશે.
RT-PCR નેગેટીવ રીપોર્ટ બતાવવો ફરજીયાત
માલદીવ પર્યટન મંત્રાલયે જણાવ્યું કે, પર્યટકોને માલદીવમાં આવવા માટે RT-PCRનો નેગેટીવ રીપોર્ટ બતાવવો જરૂરી છે. આ રીપોર્ટ માત્ર 3 દિવસ સુધી જ માન્ય ગણાશે. 15 જુલાઈથી માલદીવ દક્ષીણ એશિયાથી આવનાર પર્યટકો માટે વીઝાની પ્રક્રિયા શરૂ કરશે.
માલદીવ વિશ્વભરમાં આકષ્ણનું કેન્દ્ર
માલદીવ પોતાના સુંદર આઇલેન્ડના લીધે વિશ્વભરમાં મશહુર છે. અને ભારતીયો માટે તો બેસ્ટ હનીમૂન ડેસ્ટીનેશન છે. ટુર ઓપરેટર્સ પણ આ સમાચાર આવતા જ માલદીવને ટ્રીપ ટુ એડવેન્ચર્સ નામ આપીને પર્યટકોને આકર્ષિત કરી રહ્યા છે.
માલદીવની ઈકોનોમી ટુરિઝમ પર આધારિત
માલદીવની ઈકોનોમી ટુરિઝમ સેક્ટર પર આધારિત છે. માલદીવ ઘણા સમયથી પરિસ્થિતિઓ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યું હતું કે, ફરીથી ટુરિઝમ સેક્ટરને શરુ કરી શકે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ માલદીવને ના છૂટકે પોતાની સરહદોને પર્યટકો માટે બંદ કરવી પડી હતી. જેથી માલદીવની ઇકોનોમીને પણ ભારી નુકસાન થયું હતું.