પોરબંદરમાં છેલ્લા એક મહિનાથી LRD પરીક્ષામાં અન્યાય મુદ્દે આંદોલન ચલાવાઈ રહ્યું છે. આજે માલધારી સમાજ દ્વારા પોલીસે 100 લોકોની અટકાયત કરી હતી.
માલધારી સમાજે રસ્તો રોકીને કર્યો વિરોધ
પોલીસે 100થી વધુ લોકોની કરી અટકાયત
LRD પરીક્ષામાં અન્યાય મુદ્દે ચલાવી રહ્યા છે આંદોલન
પોરબંદરમાં માલધારી સમાજ દ્વારા રસ્તા રોકો આંદોલન
પોલીસે કલેકટર કચેરી નજીક 100 જટેલા લોકોની અટકાયત કરી છે. છેલ્લા 1 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.
LRD પરીક્ષામાં અન્યાય મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. માલધારી સમાજે રસ્તો રોકીને વિરોધ કર્યો છે.
માલધારી સમાજની માંગ શું છે?
માલધારી સમાજની માગ છે કે LRD પરીક્ષાનું મેરિટ ફરીથી બહાર પાડવામાં આવે. તેઓએ કહ્યું કે, LRD પરીક્ષામાં નેસડાવાસીઓએ STમાં ફોર્મ ભર્યું પરંતુ પરિણામ સમયે LRDના મેરિટમાં STમાં ગણતરી ન થઈ. પોરબંદર, જૂનાગઢ, સોમનાથનાં જંગલ વિસ્તારનાં માલધારીઓનો STમાં સમાવેશ થાય છે અને જંગલ વિસ્તાર સિવાયનાં અન્ય વિસ્તારનાં માલધારીઓ OBCમાં આવે છે. ત્યારે નેસડાવાસીઓનો STમાં સમાવેશ ન થતા વિદ્યાર્થીઓ અટવાયા છે. જેને લઈ હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે.