મલેશિયાના વડાપ્રધાન એમ. મોહમ્મદે મંગળવારે એ દાવાનું ખંડન કર્યું, જેમા કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇકને ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે કહ્યું હતું.
મલેશિયાના વડાપ્રધાન એમ. મોહમ્મદે મંગળવારે દાવાનું ખંડન કર્યું
જાકિર નાઇક પર મલેશિયામાં સાર્વજનિક રૂપે ભાષણ આપવા પર પ્રતિબંધ છે
મેલેશિયાના એક રેડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું, 'જ્યારે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો ત્યારે એમણે મને નહોતું કહ્યું કે તે જાકિર નાઇકનું પ્રત્યાર્પણ ઇચ્છે છે. આ માણસ (નાઇક) ભારત માટે ખતરો બની શકે છે.
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આ મહીનાની શરૂઆતમાં રશિયામાં 5માં ઇસ્ટ ઇકોનોમિક ફોરમ પર મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. તેમની બેઠક બાદ, ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે કહ્યું કે બંને નેતાઓએ નાઇકના પ્રત્યાર્પણ પર ચર્ચા કરી.
વિજય ગોખલે એ સમયે કહ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાકિર નાઇક (zakir naik) ના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો છે. બંને પક્ષોએ નિર્ણય લીધો છે કે અમારા અધિકારી મામલાના સંબંધમાં સંપર્કમાં રહેશે અને આ અમારા માટે મહત્વપૂર્ણ મુદ્દો છે.'
Strengthening ties with an important ASEAN partner
ગત સરકાર હેઠળ જાકિર નાઇકને સ્થાયિ નાગરિકતા આપવાનો ઉલ્લેખ કરતા મોહમ્મદે કહ્યું કે નાઇક (zakir naik) ને મોકલવા માટે કુઆલાલમ્પુર એક 'જગ્યા' શોધવાની કોશિશ કરી રહ્યું છે. એમણે કહ્યું કે, 'અમે એવી જગ્યા શોધવાની કોશિશ કરી રહ્યા છીએ, જ્યાં તે જઇ શકે છે, પરંતુ કોઇ તેમને (જાકિર નાઇક) સ્વીકારવા માંગતું નથી.'
નોંધનીય છે કે, જાકિર નાઇક પર મલેશિયામાં સાર્વજનિક રૂપે ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હાલમાં જ મલેશિયાના ગૃહમંત્રી એમ. યાસીને કહ્યું હતું કે તે કાનૂનથી ઉપર નથી. એમણે કહ્યું, કોઇપણ કાનૂનથી ઉપર નથી, ડૉ. જાકિર નાઇક પણ નહીં. આ પહેલા મલેશિયાની સરકારે જાકિર નાઇક (Zakir Naik) ના ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.