ઘણા દિવસો સુધી બીમારી સામે લડ્યા બાદ એક્ટર ઈનોસેન્ટે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમની ઉંમર 75 વર્ષ હતી. એક્ટરના નિધનની ખબરથી સેલેબ્સ અને ફેંસની વચ્ચે શોકનો માહોલ છે. ઈનોસેન્ટે 1972માં ફિલ્મ Nrityashalaથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.
દિગજ્જ એક્ટર ઈનોસેન્ટે દુનિયાને કહ્યું અલવિદા
75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Nrityashalaથી કર્યું હતું એક્ટિંગ ડેબ્યૂ
મલયાલી ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. લેજેન્ડરી એક્ટર ઈનોસેન્ટે દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. 26 માર્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે 3 માર્ચથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને કોરોના થયો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. સારવાર દરમિયાન તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. છેલ્લે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 26, 2023
એક્ટર ઈનોસેન્ટનું નિધન
ઘણા દિવસ સુધી બીમારી સામે ઝઝુમ્યા બાદ એક્ટરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની ઉંમર 75 વર્ષ હતી. એક્ટરના નિધનની ખબરથી સેલેબ્સ અને ફેંસની વચ્ચે શોકનો માહોલ છે. સોશિલ મીડિયા પર સવારે દિગ્ગજના એક્ટરના મોતના સમાચાર જાણીને ફેન્સ શોક છે.
Devastated!! We have lost a great actor. Moreso a great human being. What a legend he was. With the passing away of #Innocent Sir, we have lost a priceless gem. May his soul rest in peace. Heartfelt condolences to his family, friends and his followers.
Om Shanti 🙏🙏 pic.twitter.com/l8ZonwMPKu
ફેન્સ અને ફિલ્મ સેલેબ્સ એક્ટરને ભીની આંખે શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. તેમની ઉંમર 75 વર્ષ હતી. એક્ટરના નિધનની ખબરથી સેલેબ્સ અને ફેન્સની વચ્ચે શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર સવારે દિગ્ગજ એક્ટરના મોતની ખબર જાણીને ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે. ફેન્સ અને ફિલ્મી સેલેબ્સ એક્ટરને ભીની આંખે શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
કેરળના મુખ્યમંત્રીએ પણ વ્યક્ત કર્યો શોક
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને લેજેન્ડરી એક્ટરના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલી આપી છે. એક્ટર દુલકર સલમાન, મોહનલાલ, પૃથ્વીરાજ, ખુશબુ સુંદર સહિત સેલેબ્રિટીઝે ઈનોસેન્ટને શ્રદ્ધાંજલી આપી હતી.
કોમિક રોલ્સમાં હતા સૌથી ફેવરેટ
ઈનોસેન્ટે 1972માં ફિલ્મ Nrityashalaથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. પોતાના 5 દશકના કરિયરમાં તેમણે દરેક પ્રકારના રોલ્સ કર્યા. પરંતુ કોમેડી રોલ્સમાં તે ખૂબ જ ફેમસ હતા. એક્ટર ઈનોસેન્ટે છેલ્લી વખત ફિલ્મ Kaduvaમાં રોલ કર્યો હતો.
તેમા લીડ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન હતા. ઈનોસેન્ટની છેલ્લી ફિલ્મ Paachuvum Athbhuthavilakkum હશે. આ હજુ રિલીઝ નથી થઈ. તેમણે Laughter in the cancer ward નામની બુક પણ લખી હતી.
કેન્સર સર્વાઈવર હતા ઈનોસેંટ
ઈનોસેંટ કેન્સર સર્વાઈવર હતા. દિગજ્જ એક્ટરે એક્ટિંગની સાથે રાજનીતિમાં પણ પગ મુક્યો હતો. 2014માં લોકસભા ચુંટણીમાં ઈનોસેન્ટે સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ત્રિશૂર જિલ્લાના ચલાકુડી લોકસભા ક્ષેત્રથી જીત મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીથી તે હારી ગયા હતા.