હજુ સુધી દયાબેન પાછા આવ્યા નથી એટલે લોકો અટકળો લગાવતા રહેતા હોય છે. નવી કે જુની કોઇ દયાબેન શોમાં દેખાઇ નથી. હાલમાં જ એક ફેને દયા બેનને પાછા લાવવાની માગ ઉઠાવી જેના પર શોના ડિરેક્ટર માલવ રાજદાએ રિએક્ટ કર્યુ છે.
તારક મહેતા...ના ડાયરેક્ટર માલવ રાજદાને એક ફેને કહ્યું કે પ્લીઝ નવી દયાબેન લઇ આવો સર આટલી રાહ જોઇને પણ શું કંઇ ફાયદો થશે, તમે જ વિચારો બીચારા ફેન્સ ક્યારના રાહ જોઇ રહ્યાં છે.
માલવે જવાબમાં લખ્યું કે હું વધારે બોલીશ તો આ લોકો નવો ડાયરેક્ટર લઇ આવશે. એક્ટર્સ અને બીજી વસ્તુઓનો નિર્ણય હું ન લઇ શકું પરંતુ જે થાય છે તે સારા માટે જ થાય છે.
મહત્વનું છે કે 2017માં દયાનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણીએ મેટરનીટિ લીવ લીધી હતી. ત્યારથી અત્યાર સુધી ના તો દયા પાછી આવી છે ના નવી દયા શો પર આવી છે.
2017 બાદ દયા એક જ વાર શોમાં દેખાઇ છે. ત્યારે એવી ચર્ચા હતી કે દયા શોમાં વાપસી કરી રહી છે પરંતુ દિશાના પતિએ ખુલાસો કર્યો કે તે માત્ર એક જ એપિસોડ માટે આવી હતી. દિશાએ એક મંદિરમાં એપીસોડ માટે શૂટ કર્યુ હતુ અને તે વખતની ટીઆરપીમાં વધારો જોવા મળ્યો હતો.
દયાબેન એક એવુ કેરેક્ટર છે જે પોતાના અલગ અંદાજને લઇને ખુબ જ ફેમસ છે અને લોકો તેને ખુબ જ પસંદ કરે છે. છેલ્લા 3 વર્ષોથી દયા બહેન શોમાંથી બાર છે. આ મુદ્દે ઘણી ચર્ચા થઇ છે પરંતુ હાલમાં નવી અંજલી એટલે કે સુનયના ફોજદારે સ્ટેટમેન્ટ આપ્યુ છે.
દયાબેનની વાપસી ચર્ચામાં
દિશા વાકાણી એટલે કે દયા બેન શોમા પરત ફરશે તેવી અટકળો ત્યારથી લગાવવામાં આવી રહી છે જ્યારથી 2017માં તેમણે શો છોડ્યો. આવી ખબરો બાદમાં આવતી જ રહી કે મેકર્સ નવી દયા બેન શોધી રહ્યાં છે.
શોમાં નવું કંઇ જ થવાનુ નથી તેનુ પુષ્ટિ નેહા મહેતાને રિપ્લેસ કરનાર સુનયના ફોજદારે કરી હતી. સુનયના સિવાય નવી સોનુ અને નવા સોઢીની પણ એન્ટ્રી થઇ છે. હાલમાં જ સુનયનાએ દયાબેનની વાપસીને લઇને મૌન તોડ્યુ છે.
શું કહ્યું સુનયનાએ
સુનયનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ શો બધાનો છે. આ માત્ર એક પાત્રનો શો નથી. શોના કોઇ પાત્રને હજુ પણ પ્રેમ મળી રહ્યો છે તો તેનો મતલબ છે શો સારુ કરી રહ્યો છે. ટીમ પોતાનુ 100 પરસેન્ટ આપી રહી છે. માત્ર એક વ્યક્તિને ક્રેડિટ આપવી યોગ્ય નથી. શોમાં કોઇ લીડ નથી બધાના ફેવરિટ અલગ અલગ લોકો છે જેમના કારણે શો હજુ પણ ચાલી રહ્યો છે.
સુનયનાએ વધુમાં કહ્યું કે દયા ક્યારે પાછી આવશે તેને લઇને અમે પણ જાણવા માંગીએ છીએ. હજુ સુધી કોઇને ખબર નથી કે દયા ક્યારે પાછી આવશે.