ચોમાસામાં તાવ અને શરદીની સાથે જ મેલેરિયા પણ વધારે ફેલાતો જોવા મળે છે. જે ફીમેલ એનોફિલિઝ મચ્છરના કરડવાથી થાય છે. આ માદા મચ્છરમાં એક ખાસ જીવાણુ જોવા મળે છે. તેને મેડિકલ ટર્મમાં પ્લાઝમોડિયમથી ઓળખવામાં આવે છે. આ જીવાણુ લિવર અને લોહીની કોશિકાઓને સંક્રમિત કરીને વ્યક્તિને બીમાર કરે છે. સમયસર સારવાર ન મળવાના કારણે તે જીવલેણ પણ બની શકે છે. આજે અહીં તમને તેના લક્ષણો અને સાથે મેલેરિયામાં શું ખાવું અને શું ન ખાવું તેની જાણકારી આપી રહ્યા છીએ.
ચોમાસામાં ઝડપથી ફેલાય છે મેલેરિયા
લક્ષણો જાણીને કરી લો સારવાર
મલેરિયામાં ન ખાઓ આ ચીજો
મેલેરિયામાં જોવા મળે છે આ ખાસ લક્ષણો
તાવ આવવો
પરસેવો થવો
શરીર દુઃખવું
ઉલ્ટી થવી
ચોમાસાની સીઝનમાં ગંદગી અને પાણીને ઘરથી દૂર રાખવાની ખાસ તકેદારી રાખવાનું કહેવામાં આવે છે. આ સાથે જ રોગીના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવાથી તેને ઝડપથી સાજો કરી શકાય છે. તો જાણી લો મેલેરિયા હોય તો શું ન ખાવું અને શું ખાવું.
ન ખાઓ આ ચીજો
ઠંડું પાણી જરાય ન પીઓ અને સાથે જ ઠંડા પાણીથી ન્હાઓ પણ નહીં.
રોગીને કેરી, દાડમ, લીચી, પાઈનેપલ, નારંગી અથવા અન્ય કોઈ ખાટા ફળ ન આપો.
દહીં, શિકંજી, ગાજર, મૂળા જેવી ઠંડી ચીજોના સેવનથી પણ બચવું જોઈએ.
મરચા, મસાલા કે આમલીના રસથી બનેલા પદાર્થોનું સેવન ન કરવું.
બહારનું તળેવું કે શેકેલું મસાલેદાર ખાવાનું પીરસવાનું ટાળવું.
મેલેરિયામાં ખાઈ લો આ ચીજો
મેલેરિયાના રોગીએ સફરજન ખાવું.
પીપળાનું ચૂરણ મધમાં મિક્સ કરીને સેવન કરવાથી તાવમાં લાભ મળશે.
ખીચડી, દલિયો, સાબૂદાણા પૌષ્ટિક હોવાની સાથે પચવામાં સરળ હોય છે.
જો તમને જીવ ગભરાવવાની સમસ્યા હોય તો લીંબુ કાપીને કાળા મરી કે ચૂરણ નાંખીને ચૂસો.
મેલેરિયાના તાવમાં જામફળ ખાવાથી રોગીને લાભ મળે છે.
તુલસીના પાણીમાં ઉકાળીને તેનું પાણી ગાળીને પીવાથી લાભ થાય છે.
મેલેરિયાથી બચાવશે આ સાવધાની
મચ્છરોના ઘરની અંદર કે બહાર ફેલાવવાથી રોકો.
તમારી આસપાસની સફાઈનું ધ્યાન રાખો.
સ્થિર પાણીમાં મચ્છર ફેલાય છે. તેથી નાળીઓ સાફ રાખો. ઘરની આસપાસ કોઈ ખાડા હોય તો ભરાવી દો.
સમયાનુસાર દવાઓનો છંટકાવ કરતા રહો.
વરસાદમાં શરીર ઢાંકતા પૂરી બાંયના કપડાં પહેરો.
કૂલર વાપરો છો તો તેની સફાઈનું ધ્યાન રાખો તે જરૂરી છે.