ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે મેલેરિયાની દવા તેમના માટે વરદાન રૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ICMRએ કોરોનાના દર્દીની સારવાર માટે મેલેરિયાની દવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે એ પણ જણાવ્યું છે કે 15 વર્ષની ઉંમરથી નાની વ્યક્તિઓ અને આંખની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ દવાનો ઉપયોગ કરી શકાશે નહીં.
કોરોનાની સારવાર માટે મેલેરિયાની દવાની અપાઈ મંજૂરી
હાઈડ્રોક્સી- ક્લોરોક્વીનનો કરી શકાશે કોરોના માટે ઉપયોગ
આંખના પેશન્ટ અને 15 વર્ષથી નાની ઉંમર માટે નહીં કરી શકાય ઉપયોગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે મેલેરિયા ફીવરની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની નેશનલ ટાસ્ક ફોર્સે કોવિડ -19 ની સારવાર માટે મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સિ-ક્લોરોક્વિનને મંજૂરી આપી છે.
હાઈડ્રોક્સી- ક્લોરોક્વીનનો કરી શકાશે કોરોના માટે ઉપયોગ
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તેઓએ શંકાસ્પદ અથવા પુષ્ટિ પામેલા કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા લોકો માટે આ સારવાર અપનાવી શકે છે. સાથે જ એમ પણ માહિતી મળી છે કે આરોગ્ય કર્મચારીઓના સંપર્કમાં આવનારા લોકો માટે હાઈડ્રોક્સી-ક્લોરોક્વિન આપવી જોઈએ. કોરોના વાયરસના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસો શોધી રહેલા દર્દીઓને પણ આ દવા આપવી જોઈએ.
યોગ્ય પ્રમાણમાં જ કરો ઉપયોગ
રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ કરાયેલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલને ભારતના જનરલ કંટ્રોલર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ દવાનો ઉપયોગ કટોકટીની પરિસ્થિતિઓમાં મર્યાદિત માત્રામાં કરવામાં આવશે.
બાળકો અને આંખના દર્દી માટે નહીં વાપરી શકાય આ દવા
15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવા લેવાની ભલામણ કરવામાં આવતી નથી. આ સિવાય આંખની સમસ્યાઓથી ઝઝૂમતા લોકોને પણ આ દવાનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. આ દવા ફક્ત રજિસ્ટર્ડ મેડિકલ પ્રોફેશનલની સૂચના પર જ આપવી જોઈએ.
આ ડોઝમાં ડોક્ટરની સલાહથી લેવી જોઈએ દવા
દવાના ઉપયોગમાં કાળજી લેવી જોઈએ કે દવાના પ્રથમ 400 મિલિગ્રામ દિવસમાં બે વખત લેવામાં આવે છે. આ પછી 400 મિલિગ્રામ અઠવાડિયામાં એકવાર 7 અઠવાડિયા માટે લેવામાં આવશે. જો કે, ડોક્ટરની પરવાનગી વિના આ દવા લેવાનું જોખમી સાબિત થઈ શકે છે.